મમતા વિવાદમાં, કહ્યું વધતી જતી વસતી બળાત્કાર માટે જવાબદાર

મમતાએ વિધાનસભાને જણાવ્યું કે 'વસ્તી વધી રહી છે. શું પશ્ચિમ બંગાળની જનસંખ્યા એટલી જ છે જેટલી વિધાનચંદ્ર રાયના સમયમાં હતી.' મમતાએ સાથે સાથે કાનનૂ વ્યવસ્થાની સ્થિતિ પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.
મમતાએ જણાવ્યું કે દુષ્કર્મના મામલા વધી રહ્યા છે, વસ્તીમાં વધારો થઇ રહ્યો છે, કારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આધારભૂત સંરચનાનો વિકાસ થઇ રહ્યો છે. શોપિંગ મોલ વધી રહ્યા છે. મલ્ટિપ્લેક્સ બની રહ્યા છે. યુવાનો વધુ મોર્ડન બની રહ્યા છે. શું આપ તેમનું સ્વાગત નહીં કરો. મમતાએ આરોપ લગાવ્યો કે અખબાર જાણી જોઇને બળાત્કારના મામલાઓને વધારી ચડાવીને રજૂ કરે છે. પહેલા મહિલાઓ આવા પ્રકારના કેસ નોંધાવવામાં ખચકાતી હતી. જોકે હવે સામાજિક ચેતના વધી રહી છે.
હવે તેઓ ફરિયાદ સામે ચાલીને નોંધાવી રહી છે. આ શુભ સંકેત છે. પહેલા તો ફરિયાદ પણ ન્હોતી થતી. તેમણે જણાવ્યું કે 2011માં દિલ્હીમાં બળાત્કારના 453, મુંબઇમાં 221, બેંગલૂરમાં 97, અને ચેન્નાઇમાં 76 મામલા સામે આવ્યા છે. જ્યારે 2012માં દિલ્હીમાં આવા 621 મામલા સામે આવ્યા છે.












Click it and Unblock the Notifications
