પત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા
પત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા
એક પુુરુષ પોતાના પરિવાર માટે આખી જિંદગી આકરી મહેનત કરતો હોય છે અને બાળકોને સારું શિક્ષણ અને સુખી જીવન આપવાના ઉદ્દેશ્યથી ગમે તેવી મુસીબત સામે બાયો ચડાવી લેતો હોય છે. પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જેણે પતિ-પત્નીના સંબંધ પર કલંક લગાવી દીધો છે.
એક શખ્સે પોતાની પત્નીને માથામાં ગોળી મારી હત્યા કરી નાખી. મહિલાની હત્યાના મામલે પોલીસે આરોપી પતિ પપ્પૂની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવેલી વાત સાંભળી પોલીસ પણ ચકિત થઈ ગઈ. પપ્પુએ પત્નીની હત્યા બાદ પોતાના ત્રણેય બાળકોને ગંગ નહેરમાં ફેંકી દીધા. પોલીસ ગંગ નહેરમાં તલાશ કરી રહી છે પરંતુ હજી સુધી એકેય બાળકો મળ્યાં નથી.

શું છે મામલો
આ મામલો મુઝફ્ફરનગરના બસેડી ગામનો છે. ગામના રહેવાસી પપ્પુએ મંગળવારે સવારે પોતાની પત્ની ડોલી (35)ને માથામાં ગોળી મારી હત્યા કરી. પત્નીની હત્યા બાદ પપ્પુએ પોતાના ત્રણય બાળકો દીકરી સાનિયા (5), દીકરો વંશ (3) અને દીકરી હર્ષિતા (દોઢ)ને લઈ ફરાર થઈ ગયો હતો. હત્યાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને પપ્પુ સામે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

પૂછપરછમાં સનસનીખેજ ખુલાસો
26 મેના રોજ પોલીસે પપ્પુની ધરપકડ કરી લીધી. પૂછપરછમાં પપ્પુએ જણાવ્યું કે તેની પત્ની 15 દિવસથી શારીરિક સંબંધ નહોતી બનાવી રહી. રાતે જ નિર્ણય લઈ લીધો હતો કે જો સવારે નહિ માને તો હત્યા કરી નાખી। એજ થયું, સવારે પત્નીએ પાસે આવવાની ના પાડી દીધી. પત્નીની હત્યા બાદ તે બાળકો સાથે નહેર પટરી પર પહોંચ્યો. તેને લાગ્યું કે પત્નીની હત્યા બાદ આ બાળકોને કોણ ઉછેરશે. આ વાતને લઈ તેણે ત્રણેય બાળકોને નહેરમાં જીવતા ફેંકી દીધા.

સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી હતી
સ્થાનિક લોકોએ પોલીસને ઘટના વિશે જણાવ્યું હતું. જે બાદ પોલીસે પપ્પુની ધરપકડ કરતા નહેરમાં બાળકોના મૃતદેહ શોધવાં શરૂ કર્યાં. જો કે હજી સુધી બાળકો વિશે કંઈપણ જાણી શકાયું નથી. હાલ આરોપીની પૂછપરછ કરવા ઉપરાંત હત્યામાં ઉપયોગ કરાયેલા તમંચાની તલાશ પણ હાથ ધરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
