પત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા
પત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા
એક પુુરુષ પોતાના પરિવાર માટે આખી જિંદગી આકરી મહેનત કરતો હોય છે અને બાળકોને સારું શિક્ષણ અને સુખી જીવન આપવાના ઉદ્દેશ્યથી ગમે તેવી મુસીબત સામે બાયો ચડાવી લેતો હોય છે. પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જેણે પતિ-પત્નીના સંબંધ પર કલંક લગાવી દીધો છે.
એક શખ્સે પોતાની પત્નીને માથામાં ગોળી મારી હત્યા કરી નાખી. મહિલાની હત્યાના મામલે પોલીસે આરોપી પતિ પપ્પૂની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવેલી વાત સાંભળી પોલીસ પણ ચકિત થઈ ગઈ. પપ્પુએ પત્નીની હત્યા બાદ પોતાના ત્રણેય બાળકોને ગંગ નહેરમાં ફેંકી દીધા. પોલીસ ગંગ નહેરમાં તલાશ કરી રહી છે પરંતુ હજી સુધી એકેય બાળકો મળ્યાં નથી.

શું છે મામલો
આ મામલો મુઝફ્ફરનગરના બસેડી ગામનો છે. ગામના રહેવાસી પપ્પુએ મંગળવારે સવારે પોતાની પત્ની ડોલી (35)ને માથામાં ગોળી મારી હત્યા કરી. પત્નીની હત્યા બાદ પપ્પુએ પોતાના ત્રણય બાળકો દીકરી સાનિયા (5), દીકરો વંશ (3) અને દીકરી હર્ષિતા (દોઢ)ને લઈ ફરાર થઈ ગયો હતો. હત્યાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને પપ્પુ સામે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

પૂછપરછમાં સનસનીખેજ ખુલાસો
26 મેના રોજ પોલીસે પપ્પુની ધરપકડ કરી લીધી. પૂછપરછમાં પપ્પુએ જણાવ્યું કે તેની પત્ની 15 દિવસથી શારીરિક સંબંધ નહોતી બનાવી રહી. રાતે જ નિર્ણય લઈ લીધો હતો કે જો સવારે નહિ માને તો હત્યા કરી નાખી। એજ થયું, સવારે પત્નીએ પાસે આવવાની ના પાડી દીધી. પત્નીની હત્યા બાદ તે બાળકો સાથે નહેર પટરી પર પહોંચ્યો. તેને લાગ્યું કે પત્નીની હત્યા બાદ આ બાળકોને કોણ ઉછેરશે. આ વાતને લઈ તેણે ત્રણેય બાળકોને નહેરમાં જીવતા ફેંકી દીધા.

સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી હતી
સ્થાનિક લોકોએ પોલીસને ઘટના વિશે જણાવ્યું હતું. જે બાદ પોલીસે પપ્પુની ધરપકડ કરતા નહેરમાં બાળકોના મૃતદેહ શોધવાં શરૂ કર્યાં. જો કે હજી સુધી બાળકો વિશે કંઈપણ જાણી શકાયું નથી. હાલ આરોપીની પૂછપરછ કરવા ઉપરાંત હત્યામાં ઉપયોગ કરાયેલા તમંચાની તલાશ પણ હાથ ધરવામાં આવી રહી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
