મણિપુરઃ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં ઉગ્રવાદીઓનો હુમલો, 5ના મોત
મણિપુરમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન ઉગ્રવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે.
ઈમ્ફાલઃ મણિપુરમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન ઉગ્રવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ મંગળવારે કંગપોકપી સ્થિત બી ગેમનૉન ગામમાં બે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કારમાં જે લોકો એકઠા થયા હતા તેમના પર હુમલો કરી દીધો. આ બે ઉગ્રવાદીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા હતા. આઈજી લુંસે કિપગેને જણાવ્યુ કે આ હુમલામાં 5 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 3 લોકોના શબ મેળવી લેવાયા છે, સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ છે.
આ હુમલામાં કુકી ઉગ્રવાદીઓએ ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી જેમાં એમપી ખુલ્લન ગામના મુખિયા અને એક સગીર બાળક પણ શામેલ છે. વાસ્તવમાં ગામલોકો કુકી ઉગ્રવાદીઓના મોત બાદ શોક સભા કરવા માટે એકઠા થયા હતા. આ હુમલા દરમિયાન વધુ એક બાળકને ઈજા થઈ છે જેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.
હુમલા બાદ ઘણા ગ્રામીણ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ છૂપાઈ ગયા, લોકોને ડર હતો કે ફરીથી હુમલો થયો તો શું થશે. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ મોટાપાયે સઘન સર્ચ ઑપરેશન અભિયાન શરૂ કરી દીધુ છે. કેન્દ્રીય સુરક્ષાબળ પણ આ હુમલાખોરોની શોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ હુમલાની નિંદા કરી છે.