મણિપુરમાં ફરીથી હિંસા શરુ, મૈતૈઈ સમુદાયના 3 લોકોની હત્યા, હથિયારો લૂંટ્યા, ઘર સળગાવ્યા, 1 જવાનનુ મોત
Manipur Violence: મણિપુરમાં મે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં અનેક હિંસક ઘટનાઓ બની છે.
શુક્રવારે (04 ઓગસ્ટ)ની રાતે બિષ્ણુપુર જિલ્લામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. મૃતકો કવાક્તા વિસ્તારના મૈતેઈ સમુદાયના હોવાનું કહેવાય છે. બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૈતેઈ સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા છે, જ્યારે કુકી સમુદાયના ઘણા ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઈ વિસ્તારમાં આવ્યા અને તેમના પર ગોળીબાર કર્યો. મણિપુરમાં ફરી હિંસા ભડકતાં મણિપુર રાઇફલ્સનો એક જવાન માર્યો ગયો હતો, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
ટોળાએ બિષ્ણુપુરના કીરેનફાબી અને થંગાલવાઈ ખાતેના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો. ટોળાએ કથિત રીતે 235 એસોલ્ટ રાઇફલ્સ, 21 સબ-મશીન ગન અને 16 પિસ્તોલ, 9,000 રાઉન્ડ ગોળીઓ અને 124 હેન્ડ-ગ્રેનેડ સહિત હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો હતો.
વળી, અન્ય બે લોકોને પણ ગોળી વાગી હતી. 03 ઓગસ્ટના રોજ, કુકી જૂથ, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ હિંસાનો ભોગ બનેલા 35 લોકોના મૃતદેહોને સામૂહિક દફન કરવાની જાહેરાત કર્યા પછી આ વિસ્તારમાં તણાવ વધી ગયો.
03 ઓગસ્ટના રોજ અન્ય એક ઘટનામાં, સેંકડો લોકો બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાઓ વચ્ચેની સરહદ પર ફોગાકચાઓ યુનિટ ખાતે એકઠા થયા હતા. જે બાદ સેના અને પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં મણિપુરમાં અલગ-અલગ ઘટનાઓમાં 347 લોકોની અટકાયત કરવામાં આવી છે. મણિપુરના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની વધતી ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે.
મણિપુરમાં 03 મે 2023 થી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસાને કારણે અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે. તે જ સમયે, એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, 50 હજારથી વધુ લોકોને કેમ્પમાં રહેવા અને રાજ્ય છોડવાની ફરજ પડી છે. મહિનાઓથી શાળા-કોલેજો બંધ છે.












Click it and Unblock the Notifications
