Manipur Violence : કોણ છે મહિલાઓને નગ્ન ફેરવનારા નરાધમો? મુખ્ય આરોપીના ઘરને આગ લગાવાઈ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકારના ભેદી મોન વચ્ચે મણિપુરમાં મહિલાઓને નગ્ર પરેડ કરાવાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે અચાનક સરકારની ઉઘ ઉડી છે અન મોડી મોડી કાર્યવાહી શરૂ કરી છે.
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાની ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ નરાધમો પર આરોપ છે કે તેમને મહિલાઓને પરેડ કરાવવા સાથે સાથે સામુહિક બળાત્કાર પણ ગુજાર્યો હતો.

હવે પોલીસે આ નરાધમોની ઓળખ વાયરલ વીડિયો દ્વારા કરી છે. પોલીસે હાલ 4 આરોપીઓની ધરકડ કરી છે અને અન્ય આરોપીઓને કસ્ટડીમાં લેવા માટે 12 ટીમ બનાવવામાં આવી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના 4 મેની છે. 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી અને આ કૂચ દરમિયાન જ કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
આ ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની નબળી નીતિને કારણે સમગ્ર રાજ્યમાં 40 દિવસ સુધી હિંસા ચાલતી રહી. આખરે 19 જુલાઈએ બે મહિલાઓનો રોડ પર નગ્ન અવસ્થામાં ફેરવાનો વીડિયો વાયરલ થતા પીએમ નરેન્દ્ર મોદીએ પણ મગરમચ્છના આસું વહાવ્યા હતા.
નગ્ન પરેડ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના મુખ્ય આરોપી હેરદાસની થોઉબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ આરોપી અરુણ સિંહ, જીવન ઇલાંગબમ અને તોમ્બા સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વાયરલ વીડિયો દ્વારા તમામ લોકોની ઓળખ કરવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓની પૂછપરછ કરીને અન્ય આરોપીઓને પકડવાની યોજના બનાવી રહી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ ગુસ્સામાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી હેરદાસના ઘરને આગ લગાવી દીધી છે. લોકોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે અને રાજનીતિ પણ ગરમાઈ છે. કેન્દ્ર સરકારથી નબળી નીતિને લઈને હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે. લોકો આ આરોપીઓ માટે ફાંસીની માંગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
