અલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, ‘કોઈ રાજીનામુ નથી થયુ'
1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી.
1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી. મનીષ સિસોદિયાએ અલકા લાંબા પાસે રાજીનામું માંગવા સમાચારો ફગાવી દીધા અને કહ્યુ કે પાર્ટીએ કોઈની પાસે રાજીનામુ માંગ્યુ નથી. મનીષ સિસોદિયાઓ કહ્યુ કે 1984 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
જ્યારે પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે કાલના નિવેદનને ફરીથી કહેતા જણાવ્યુ કે જરનૈલ સિંહને સંસદમાં બોલતા પહેલા પ્રસ્તાવની કોપી બધાને આપવામાં આવી હતી. જેમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ નહોતો. સોમનાથ ભારતીએ તે પ્રસ્તાવ પર પેનથી રાજીવ ગાંધી વિશે એક લાઈન લખીને જરનૈલ સિંહને આપી દીધી હતી. તેમણે કહ્યુ કે જો કોઈ સભ્ય પોતાનું એમેન્ડમેન્ટ અલગથી લાવવા ઈચ્છે તો સ્પીકર તેને અવગત કરાવે છે. ભારદ્વાજે કહ્યુ કે સંસદમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેમાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો શામેલ નહોતો પરંતુ આ એક સભ્યનો પોતાનો પ્રસ્તાવ હતો. મનીષ સિસોદિયાએ અલકા લાંબાના રાજીનામાના સમાચારોને ફગાવી દેતા કહ્યુ કે પાર્ટીએ તેમની પાસે કે કોઈની પાસે રાજીનામાની માંગ કરી નથી.
Manish Sisodia, Delhi Deputy Chief Minister on Alka Lamba: No resignation has been sought and from no one, all these are rumours pic.twitter.com/r2SCb4Bg8F
— ANI (@ANI) 22 December 2018
રાજીવ ગાંધી પાસે ભારત રત્ન પાછો લેવા પર બોલ્યા સિસોદિયા
મનીષ
સિસોદિયાએ
કહ્યુ
કે
અમે
આમાં
વિશ્વાસ
નથી
કરતા
કે
રાજીવ
ગાંધી
પાસેથી
ભારત
રત્ન
પાછો
લેવો
જોઈએ.
લોકસભા
ચૂંટણી
પહેલા
સંભવિત
ગઠબંધનના
સવાલ
પર
સિસોદિયાએ
કહ્યુ
કે
કોંગ્રેસ
સાથે
ગઠબંધનનો
કોઈ
સવાલ
જ
નથી.
કોંગ્રેસ
અને
ભાજપ
બંનેના
હાથ
લોહીથી
ખરડાયેલા
છે.
આ
બંને
પક્ષોના
હાથ
રમખાણોના
લોહીથી
ખરડાયેલા
છે.