અલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, ‘કોઈ રાજીનામુ નથી થયુ'
1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી.
1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી. મનીષ સિસોદિયાએ અલકા લાંબા પાસે રાજીનામું માંગવા સમાચારો ફગાવી દીધા અને કહ્યુ કે પાર્ટીએ કોઈની પાસે રાજીનામુ માંગ્યુ નથી. મનીષ સિસોદિયાઓ કહ્યુ કે 1984 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

જ્યારે પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે કાલના નિવેદનને ફરીથી કહેતા જણાવ્યુ કે જરનૈલ સિંહને સંસદમાં બોલતા પહેલા પ્રસ્તાવની કોપી બધાને આપવામાં આવી હતી. જેમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ નહોતો. સોમનાથ ભારતીએ તે પ્રસ્તાવ પર પેનથી રાજીવ ગાંધી વિશે એક લાઈન લખીને જરનૈલ સિંહને આપી દીધી હતી. તેમણે કહ્યુ કે જો કોઈ સભ્ય પોતાનું એમેન્ડમેન્ટ અલગથી લાવવા ઈચ્છે તો સ્પીકર તેને અવગત કરાવે છે. ભારદ્વાજે કહ્યુ કે સંસદમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેમાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો શામેલ નહોતો પરંતુ આ એક સભ્યનો પોતાનો પ્રસ્તાવ હતો. મનીષ સિસોદિયાએ અલકા લાંબાના રાજીનામાના સમાચારોને ફગાવી દેતા કહ્યુ કે પાર્ટીએ તેમની પાસે કે કોઈની પાસે રાજીનામાની માંગ કરી નથી.
Manish Sisodia, Delhi Deputy Chief Minister on Alka Lamba: No resignation has been sought and from no one, all these are rumours pic.twitter.com/r2SCb4Bg8F
— ANI (@ANI) 22 December 2018
રાજીવ ગાંધી પાસે ભારત રત્ન પાછો લેવા પર બોલ્યા સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યુ કે અમે આમાં વિશ્વાસ નથી કરતા કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવો જોઈએ. લોકસભા ચૂંટણી પહેલા સંભવિત ગઠબંધનના સવાલ પર સિસોદિયાએ કહ્યુ કે કોંગ્રેસ સાથે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. કોંગ્રેસ અને ભાજપ બંનેના હાથ લોહીથી ખરડાયેલા છે. આ બંને પક્ષોના હાથ રમખાણોના લોહીથી ખરડાયેલા છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
