Manmohan Singh : નરેન્દ્ર મોદી સરકારે જાણી જોઈને મનમોહન સિંહનું અપમાન કર્યુ? રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યા
Manmohan Singh : ભારતને મહાશક્તિ બનાવનારા દેશના વડાપ્રધાન ડો.મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા.
હવે વારંવાર મનમોહન સિંહનું અપમાન કરનારી નરેન્દ્ર મોદી સરકાર પર રાહુલ ગાંધીએ મનમોહન સિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના આરોપો પર રાજનીતિ તેજ થઈ છે.

રાહુલ ગાંધીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, વર્તમાન સરકારે આજે નિગમ બોધ ઘાટ ખાતે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરીને ભારત માતાના મહાન પુત્ર અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું અપમાન કર્યું છે.
તેઓ એક દાયકા સુધી ભારતના વડાપ્રધાન હતા, તેમના સમય દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગને સહારો આપી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અત્યાર સુધી તમામ પૂર્વ વડા પ્રધાનોની ગરિમાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિઓમાં કરવામાં આવ્યા છે, જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ સર્વોચ્ચ સન્માન અને સમાધિના હકદાર છે. સરકારે દેશના આ મહાન પુત્ર અને તેના ગૌરવશાળી સમુદાયને આદર બતાવવો જોઈએ.
જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને પત્ર લખીને મનમોહન સિંહના સ્મારક માટે અલગથી જમીન આપવાની માંગ કરી હતી. અન્ય વડાપ્રધાનોની જેમ કોંગ્રેસ પણ મનમોહન સિંહ માટે અલગ સ્મારકની માંગ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે.
આ માંગમાં અકાલી દળ પણ કોંગ્રેસ સાથે જોડાયું છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નિગમ બોધ ઘાટ પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
એક્સ પર પોસ્ટમાં અરવિંદ કેજરીવાલે લખ્યુ કે, મને આઘાત લાગ્યો છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા. આ પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવ્યા છે. ભાજપ સરકાર ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે 1000 યાર્ડ જમીન પણ આપી શકી નથી.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
