પંજાબના Pearl ગ્રુપ સામે માન સરકારની મોટી કાર્યવાહી, સંપત્તિઓ પર નોંધવામાં આવશે રેડ એન્ટ્રી
પર્લ ગ્રુપના પીડિતોને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી ભગવંત માને કડકાઈ અપનાવીને મોટી કાર્યવાહી શરુ કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર્લ ગ્રૂપ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને જણાવ્યુ કે તેમણે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો અને એસએસપીને આદેશ જાહેર કર્યા છે. આ આદેશો હેઠળ પર્લ ગ્રૂપની મિલકતો પર દરોડાની એન્ટ્રી નોંધવામાં આવશે.

મળતી માહિતી મુજબ પર્લ ગ્રુપના પીડિતોને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી ભગવંત માને કડકાઈ અપનાવી છે. તેમણે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને એસએસપી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પર્લ ગ્રુપના પીડિતોને ન્યાય મળવાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે આ જૂથે પંજાબમાં લૂંટ ચલાવી છે. લોકોની મહેનતની કમાણી લૂંટાઈ રહી છે.
પીડિતોને ન્યાય મળે તે માટે, તેઓએ પર્લ ગ્રૂપની મિલકતોની ઓળખ, રેડ એન્ટ્રી અને ખરીદી પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે લોકોના એક-એક પૈસાનો હિસાબ લેવામાં આવશે અને તેમના તમામ પૈસા પરત કરવાના પ્રયાસો ચાલુ છે. આ સાથે ગ્રુપની તમામ પ્રોપર્ટી જાહેર કરવામાં આવશે જેથી જનતાને પણ તમામ માહિતી મળી શકે.












Click it and Unblock the Notifications
