બિહારઃ ટ્રેન પર 100થી વધુ નક્સલીનો હુમલો, 3ના મોત

મળતી માહિતી અનુસાર પટનાથી ધનબાદ જઇ રહેલી ઇન્ટરસિટી પર આજે બપોરના સમયે 100થી વધારે નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ટ્રેન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના તરફ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રેનના ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, ઉપરાંત બે રેલવે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ટ્રેનમાં તેનાત આરપીએફના જવાનો પાસેથી નક્સલીઓએ હથિયાર છીનવી લીધા છે.
ટ્રેન પર હુમલો થયો હોવાની જાણકારી ટ્રેનના એક બાથરૂમમાંથી આપવામાં આવી છે. નક્સલીઓના નિશાના પર માત્ર આરપીએફ જવાનો અને તેમના હથિયાર છે. ટ્રેનને નક્સલીઓના ચુંગલમાંથી છોડાવી લેવામાં આવી છે અને સ્થિતિ કાબુમાં આવી ગઇ હોવાના અહેવાલ પણ મળ્યા છે, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમુઇ સ્ટેશન પર ટ્રેન વ્યવહારને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
