Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મરાઠી લોકોને EWS કોટા હેઠળ મળશે 10% અનામત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મરાઠા સમાજના લોકોને મોટી ભેટ આપી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મરાઠા સમાજના લોકોને મોટી ભેટ આપી છે. મહારાષ્ટ્ર સરકારે આર્થિક રીતે નબળા(ઈડબલ્યુએસ) શ્રેણીના છાત્રો અને અભ્યર્થીઓને 10 ટકા અનામત આપવાનુ એલાન કર્યુ છે. રાજ્ય સરકારના આ નવા આદેશ અનુસાર હવે મરાઠા અભ્યર્થીઓ સીધી સેવામાં ઈડબ્લ્યુએસ અનામતનો લાભ ઉઠાવી શકે છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ મે મહિનામાં પ્રમુખ સામૂહિક સમૂહ માટે નોકરીઓ અને શિક્ષણમાં મરાઠાને એક અલગ અનામતને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેના થોડા દિવસો બાદ હવે મહારાષ્ટ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગના કોટા હેઠળ મરાઠા સમાજને લાભ આપ્યો છે.

uddhav

સુપ્રીમ કોર્ટ દ્વારા મરાઠા સમાજને પ્રવેશ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાના મહારાષ્ટ્રના કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો. વળી, રાજ્ય સરકારનો મત હતો કે મહારાષ્ટ્રમાં જ્યારે મરાઠા અનામત લાગુ હતુ ત્યારે મરાઠા સમાજ ઈડલ્બ્યુએસ અનામતનો લાભ નહોતો ઉઠાવી શકતો. મરાઠા અનામત રદ કરાયા બાદ સરકારે ઈડબ્લ્યુએસ અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 5 મેએ મહારાષ્ટ્ર સરકારના મરાઠા અનામતના નિર્ણયને ફગાવીને કહ્યુ હતુ કે મરાઠાને અનામતથી 50 ટકાની નક્કી સીમાનુ ઉલ્લંઘન થશે. કોર્ટની પાંચ સભ્યોની પીઠે એ પણ કહ્યુ હતુ કે મરાઠા સમાજને અનામતની સીમામાં લાવવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ન માની શકાય. વળી, હવે સરકારી આદેશ(જીઓ) મુંબઈમાં સામાન્ય પ્રશાસન વિભાગ(જીએડી) દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. સરકારી પ્રસ્તાવ અનુસાર મરાઠા સમાજના સભ્ય સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા ઈડબ્લ્યુએસ અનામત હેઠળ લાભ લઈ શકે છે.

ઈડબ્લ્યુએસ કોટા સમાજ માટે 9 સપ્ટેમ્બર, 2020એ અંતરિમ પ્રવાસનો સમય(મરાઠા અનામત)થી આ વર્ષ 5 મેમાં સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા સુધી લાગુ રહેશે. EWS કોટા SEBC ઉમેદવારો માટે લાગુ રહેશે જેમની નિયુક્તિઓ અંતરિમ પ્રવાસ પહેલા પેન્ડીંગ હતી. આ હેઠળ, ઈડબ્લ્યુએસ કોટાની કસોટીને પૂરી કરનાર વ્યક્તિ જો કોઆ અન્ય અનામત શ્રેણી હેઠળ ન આવતુ હોય તો તે રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત માટે પાત્ર હશે.

હાલમાં સમાજના એ વર્ગો માટે 10 ટકા ઈડબ્લ્યુએસ કોટા લાગુ છે જે કોઈ પણ પ્રકારનુ અનામત નથી લઈ રહ્યા. સામાન્ય વર્ગ વચ્ચે નોકરીઓ અને શિક્ષણમાં ગરીબો માટે અનામતની મંજૂરી આપવા માટે ઈડબ્લ્યુએસ કોટા પર કેન્દ્રીય કાયદો બે વર્ષથી વધુ સમય પહેલા લાગુ કરવામાં આવ્યો હતો. જીએડીના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે મરાઠા સમાજ જેને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ(એસઈબીસી) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે તેને 10 ટકા ઈડબ્લ્યુએસ કોટા મળી શકે છે. મહારાષ્ટ્રના મંત્રી અને રકાંપા નેતા નવાબ મલિકે કહ્યુ કે રાજ્ય સરકારે મરાઠા સમાજનુ સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે જે કોઈ પણ અનામત શ્રેણીમાં નથી આવતા જ્યારે સુધી કે તેમના અનામત પર કોઈ સ્પષ્ટતા નથી. નવાબ મલિકે કહ્યુ કે 8 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવકવાળા સમાજ ઈડબ્લ્યુએસ અનામત માટે પાત્ર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X