SP, NCP અને શિવસેના સંજય દત્તના સથવારે, કાત્જૂએ ગર્વનરને લખ્યો પત્ર

સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે પણ સંજય દત્તને માફ કરવાની માંગણી કરી છે. સમાજવાદી પાર્ટી તરફથી નરેશ અગ્રવાલે પણ કહ્યું છે કે તેમની પાર્ટી સંજય દત્તને માફ કરવાના સમર્થનમાં છે.
તો બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા ડીપી ત્રિપાઠીએ પણ સંજય દત્તને માફી આપવાની અપીલ કરી છે. તેમને કહ્યું છે કે સંજય દત્ત બ્લાસ્ટમાં ગુનેગાર સાબિત થયો નથી, પરંતુ તેને આર્મ્સના ગુનામાં દોષી ગણવામાં આવ્યો છે. પહેલાં તે દોઢ વર્ષની સજા કાપી ચુક્યાં છે. ત્યારે આવા સમયે તેમની સજાને હવે માફ કરવામાં આવે. જ્યારે શિવસેનાએ કહ્યું છે કે જો સંજય દત્તને માફ કરી દેવામાં આવે કોઇ વાંધો નથી.
UPDATE: 12:25 PM
વર્ષ 1993માં થયેલા મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેતા સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવ્યા બાદ ભારતીય પ્રેસ પરિષદ (પીસીઆઇ) ના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) માર્કણ્ડેય કાત્જૂ દ્રારા મહારાષ્ટ્રના રાજ્યપાલને કે. શંકરનારાયણનને અપીલ કરવામાં આવી છે કે તે સંજય દત્તની સજાને માફ કરી દે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે માર્કણ્ડેય કાત્જૂએ બંધારણની કલમ 161 હેઠળ એમ કહેતાં સંજય દત્તની સજા માફ કરવાની માંગણી કરતાં તેમને કહ્યું હતું કે 1993ના બોમ્બ બ્લાસ્ટમાં કોઇ ભૂમિકા માટે દોષી ગણવામાં આવ્યો નથી તેમને ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે.
માર્કણ્ડેય કાત્જૂએ કહ્યું હતું કે કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ દોષી ગણાવતાં સંજય દત્તને ન્યૂનતમ સજા સંભળાવી હતી. પીસીઆઇ અધ્યક્ષે કહ્યું હતું કે આર્મ્સ એક્ટની કલમ 25 (1-એ) મુજબ જો કોઇ વ્યક્તિ લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના ગુનામાં દોષી ગણવામાં આવે છે તો તેને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા અને વધુમાં વધુ દસ વર્ષની સજા સંભળાવવામાં આવે છે.
સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ રહી ચુકેલા માર્કણ્ડેય કાત્જૂએ કહ્યું હતું કે બંધારણની કલમ 161 હેઠળ માફી આપવાનો અધિકાર ન્યાયિક શક્તિ કરતાં અલગ છે કારણ કે કોઇ કોર્ટ દ્રારા ન્યૂયતમ સજા સંભળાવ્યા બાદ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને અધિકાર છે કે તે દોષીની સજા માફ કરી દે અથવા સજા ઓછી કરી છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
