For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સરકારના બે વર્ષના કાર્યકાળમાં અદાણી-અંબાણીને નુકસાન

સરકારના બે વર્ષના કાર્યકાળમાં અદાણી-અંબાણીને નુકસાન

26મેના રોજ મોદી સરાકર બે વર્ષ પૂર્ણ કરવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ આ બે વર્ષ દરમિયાન મોદીની સૌથી નજીક અંબાણી અને અદાણીને 60 કરોડનું નુકસાન થયું. જ્યારે તાા ગ્રુપને 68 હજાર કરોડનો ફાયદો થયો છે. છેલ્લાં બે વર્ષમાં અદાણી ગ્રુપની માર્કેટ કેપ 51 ટકા, મુકેશ અંબાણી ગ્રુપની 15 ટકા અને અનિલ અંબાણીગ્રુપની માર્કેટ કેપ 44 ટકા ઘટી હતી.

કોંગી નેતાએ મોદી સરકારના વખાણ કર્યાં

કોંગી નેતાએ મોદી સરકારના વખાણ કર્યાં

કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ગૃમંત્રી શિવરાજ પાટીલે મોદી સરકારની તરફેણમાં નિવેદન આપ્યું. મોદીના વખાણ કરતા કહ્યું હતું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર નકલી નહોતું. ઉપરાંત મોદી સરકારને વધુ સમય આપવાની વાત કરી છે.

આઇટી વિભાગ તમામ કરોડપતિ ટેક્સ ચોરોનો નામ જાહેર કરશે

આઇટી વિભાગ તમામ કરોડપતિ ટેક્સ ચોરોનો નામ જાહેર કરશે

એક કરોડ કે તેથી વધુ રૂપિયાના ટેક્સ ડિફોલ્ટર્સ પર ગાળિયો કસાવા જઇ રહ્યો છે. ચાલુ નાણાકિય વર્ષમાં આવા ટેક્સ ચોરોને પણ નેમ એન્ડ શેમ અંતર્ગત લવાશે. અત્યાર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 67 ડિફોલ્ટરના નામ-સરનામા જાહેર કરવામાં આવ્યાં છે.

મોદી સરાકરના રાજમાં ક્રૂડ 56 ટકા સસ્તુ થયું

મોદી સરાકરના રાજમાં ક્રૂડ 56 ટકા સસ્તુ થયું

એનડીએ સરકારના બે વર્ષ દરમિયાન ક્રૂડની કિંમતમાં 26 ટકાનો ઘટાડો થયો. જ્યારે પોટ્રોલમાં માત્ર 15 ટકા અને ડિઝલના ભાવ માત્ર 11 ટકા જ ઘટ્યા. ઉલ્લેખનીય છે કે સરકારે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટીનું ભારણ પર વધારી દીધું છે.

ઇસ્લામિક સ્ટેટથી ભારતને ખતરો નથીઃ રાજનાથ

ઇસ્લામિક સ્ટેટથી ભારતને ખતરો નથીઃ રાજનાથ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટથી ભારતને કોઇ ખતરો ન હોવાનું જણાવ્યું. કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો આઇએસ સંગઠનની વિરુદ્ધમાં છે. ઉપરાંત ઇબ્રાહિમને ભારત પાછો લાવવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.

નિર્મળ ગ્રામ યોજના અંતગ્રત જામનગરને મળ્યા 33 એવોર્ડ

નિર્મળ ગ્રામ યોજના અંતગ્રત જામનગરને મળ્યા 33 એવોર્ડ

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં શ્રેષ્ટ સરપંચ તથા ગ્રામ પંચાયત અને અન્ય એવોર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હતું . જેમાં નિર્મળ યોજના અંતર્ગત જામનગરને 33 એવોર્ડ મળ્યા હતા. તેમજ જામનગર જિલ્લાના 150 સરપંચોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પણ પુરસ્કાર એનાયત કરયા. આ સરપંચો 100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો

રાજકોટની 82.33 પર્સન્ટાઇલ લાવનારી રાધિકા મરીને પણ જીવી ગઈ

રાજકોટની 82.33 પર્સન્ટાઇલ લાવનારી રાધિકા મરીને પણ જીવી ગઈ

રાજકોટમાં રાધિકા નામની વિદ્યાર્થીનું પરિણામ જાહેર થયું ત્યારે તેણે દસમા ધોરણમાં 82 ટકા મેળવ્યા હોવાનુ જાણવા મળ્યું હતું. જોકે રાધિકાએ તો રિઝલ્ટ પહેલા જ મૃત્યની સોડ તાણી લીધી હતી. રાધિકા બ્રેઇન ટ્મયૂરની બિમારીથી પીડાઈ રહી હતી . પુત્રીને બચાવવા માટે મંડલી પરિવારે તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ રાધિકાને આંચકી આવતા કોમાંમા સરી પડી હતી અને હોસ્પિટલના ડોક્ટર્સે તેને બ્રેઇન ડેડે જાહેર કરી હતી. અને 23 એપ્રિલના રોજ રાધિકાનું મૃત્યુ થયું હતુ. દીકરીના મૃત્યુથી આઘાતમાં સરી પડેલા માતા પિતાએ કઠણ કાળજુ રાખીને એક ઉમદા નિર્ણય કર્ય તે હતો અંગદાનનો. 23મી એપ્રિલે 16 વર્ષની પુત્રી રાધિકાનું ટ્યૂમર-હેમરેજથી બ્રેઇનડેડ થતાં તેના હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખના દાનનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલના સંચાલકો થકી દર્દીઓનો સંપર્ક કરી અંગોનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.

ખંભાળિયાનું જહાર દુબઇમાં સળગીને થયું ખાખ, ખલાસીઓનો બચાવ

ખંભાળિયાનું જહાર દુબઇમાં સળગીને થયું ખાખ, ખલાસીઓનો બચાવ

કાસમ ભોકલની માલીકીનુ ફૈઝે તાજ્દ્દીન બાબા નામનું ખંબાળિયાનું વહાણ સાત મહિના પહેલા સલાયા બંદરેથી માલ ભરીને દુબઇ ગયું હતું. વહાણ દુબઇ, સોમાલીયા વગેરે સ્થળોએ માલના ફેરા કર્યા બાદ દુબઈના બંદરે લાંગરવામા આવ્યું હતું. તે દરમ્યાન શોર્ટસર્કિટના કારણે આગમાં 650 ટન વજનનું અને રૂ. 1.75 કરોડનું જહાજ આખું સળગી ગયું હતું. અને તેમાં રહેલો માલસામાન પણ બળીને ખાક થઈ ગયો હતો. જોકે ખલાસીઓ તથા અન્ય સ્ટાફને સામાન્ય ઇજા થઈ હતી પરંતુ તમામનો બચાવ થયો હતો.

હોસ્પિટલને સારવારની ના પાડતા મહિલાએ જાહેર રસ્તા ઉપર મૃત બાળકને આપ્યો જન્મ

હોસ્પિટલને સારવારની ના પાડતા મહિલાએ જાહેર રસ્તા ઉપર મૃત બાળકને આપ્યો જન્મ

અમદાવાદના ખોખરામાં આવેલી રૂક્ષ્મણી બેન સરકારી હોસ્પિટલમાં આશા ગણપત બારીયા નામની ગર્ભવતી મહિલા હોસ્પિટલના સ્ટાફે સારવાર નહીં થાય તેવું જણાવી અન્ય હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી. જોકે આશા બારિયા હોસ્પિટલના દરવાજાની બહાર નીકળી ત્યારે તેને પ્રસવની પીડા ઉપડી હતી અને ફૂટપાથ ઉપર જ મહિલાએ મૃતક બાળકને જમન્મ આપ્યો હતો આ બાબતની જાણ થતા રાહદારીઓ ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ હોસ્પિટલને તેને સારવાર આપવામાં આવી હતી. રૂક્ષ્મણી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. કે.ટી. સુતરિયાએ સ્પષ્ટતા કરી હતી કે હોસ્પિટલમાં બાળકો માટે વેન્ટિલેટર નહીં હોવાથી અન્ય હોસ્પિટલમાં લઇ જવાની સલાહ અપાઇ હતી.

ભાજપ સરકારન બે વર્ષના કાર્યક્રમમાં નાગરિકોએ પ્રશ્નો રજૂ કરતા પરેશ રાવલે ચાલતી પકડી

ભાજપ સરકારન બે વર્ષના કાર્યક્રમમાં નાગરિકોએ પ્રશ્નો રજૂ કરતા પરેશ રાવલે ચાલતી પકડી

ભાજપ સરકારનાં બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ સરકારના કામ લોકને જણાવવા "ભરોસાનાં 2 વર્ષ" કાર્યક્રમ દ્વારા સ્થાનિક નેતાઓ સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે ત્યારે અમદાવાદ પૂર્વ વિભાગનાં સાંસદ પરેશ રાવલે ચંદ્રાલા ગામે મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાનું શરૂ કરતા સાંસદે કોઈ પણ જવાબ આપ્યા વિના ચાલતી પકડતા વિવાદ સર્જાયો હતો. તેના કારણે લોકો રોષે ભરાય હતા અને કહ્યુ હતુ કે અમે ખાલી તમારી વાતો નહીં સાંભળીએ તમારે પણ અમારા પ્રશ્નો સાંભળવા જ પડશે.

કચ્છના માંડવી બીચ ફેસ્ટીવલમાં 16 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાન શંકા

કચ્છના માંડવી બીચ ફેસ્ટીવલમાં 16 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાન શંકા

સરકારે માંડવી બિચ ખાતે 14મી મેથી 18મી મે દરમિયાન પાંચ દિવસીય બીચ ફેસ્ટીવલનું આયોજન કર્યુ હતું તેના માટે અમદાવાદની માર્કોમ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂા. 22 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતના જાણીતા કલાકારોને બોલાવી બીચ ઉપર વિવિધ કાર્યક્રમનું તેમજ ખાણીપીણીના સ્ટોલ લગાવાવનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ તંત્ર દ્વારા આ ફેસ્ટીવલનો કોઇ જાહેરાત ન કરવામાં આવતાં પ્રવાસીઓ આવ્યા ન હતા અને સ્ટોલ ખાલીખમ્મ રહ્યા હતા. આ બાબતે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ડાયરેક્ટર દિપેશ શેઠનો સંપર્ક કરતા તેમણે સમગ્ર આયોજન પાછળ 6 લાખનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું

રાજકોટમાં ઓગણીસ વર્ષીય કિશોરની હત્યા

રાજકોટમાં ઓગણીસ વર્ષીય કિશોરની હત્યા

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલા રાણીપાર્કમાં રહેતા અને સંતોષ કોલ્ડ્રિંક્સ નામે ઠંડાપીણાની દુકાન ધરાવતા 19 વર્ષીય નિખિલ બટુકભાઇ વાડોલિયા નામક કિશોરની બે અજાણ્યા શખ્સોએ છરીના આઠથી દસ ઘા ઝીંકી હત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી તેમજ હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી આરંભી હતી.19 રાત્રે 10 વાગે બાઈક પર આવેલા બે શખ્સે યુવાનનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ માત્ર 15 મિનિટના સમયગાળામાં જ તેની લાશ મળી હતી. આ હત્યા માટે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

ભારત-ચીનના સંબંધ સુધારવાનો આ શ્રેષ્ઠ સમયઃ રાષ્ટ્રપતિ

ભારત-ચીનના સંબંધ સુધારવાનો આ શ્રેષ્ઠ સમયઃ રાષ્ટ્રપતિ

બુધવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચીનના ગ્વાંગઝૂ ખાતે ભારત-ચીન બિઝનેસ ફોરમને સંબોધન કર્યું. અગાઉ તેમણે ગવર્નર હૂ શિઆઓદાન સાથે મુલાકાત કરી હતી. અહ્યાં પ્રણવ મુખર્જીએ કહ્યું કે ભારત અને ચીને તેમના જૂના કરારોને મજબૂત કરવા જોઇએં.

English summary
may 25 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X