3 રાજ્યોમાં માયાવતીનું એકલા ચૂંટણી લડવાનું એલાન, દિગ્વિજય પર ફોડ્યુ ઠીકરુ
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધન થવાની સંભાવનાઓ ફગાવી દીધી છે.
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધન થવાની સંભાવનાઓ ફગાવી દીધી છે. માયાવતીએ સ્પષ્ટ કર્યુ છે કે બસપા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એકલી ચૂંટણી લડશે. માયાવતીએ કહ્યુ કે બસપા સાથે ગઠબંધન થાય પરંતુ દિગ્વિજય સિંહ જેવા લોકોએ ન થવા દીધુ.

દિગ્વિજય સિંહ જેવા નેતા ગઠબંધન નહોતા થવા દેતા
માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દિલથી ઈચ્છે હતા કે આ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું બસપા સાથે ગઠબંધન થાય પરંતુ મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહ જેવા નેતા કોંગ્રેસ અને બસપાનું ગઠબંધન નથી થવા દેતા. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓના ડરથી આવુ નથી થવા દેતા. તેમણે કહ્યુ કે બસપા અને કોંગ્રેસમાં ગઠબંધન ન થવા દેવા પાછળ દિગ્વિજય સિંહનો પોતાનો સ્વાર્થ છે.

કોંગ્રેસ પક્ષ ગઠબંધનની આડમાં બસપાને સમાપ્ત કરવા ઈચ્છે છે
માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ ભાજપ કરતા વધારે તો બિન-ભાજપ પક્ષોને નબળા કરવાની કોશિશમાં લાગેલી રહે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બસપા એકલા પોતાના દમ પર ચૂંટણી લડશે. અમારુ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ થાય. કોંગ્રેસ પક્ષ પર હુમલો કરતા માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી ગઠબંધનની આડમાં બસપાને ખતમ કરવા ઈચ્છે છે. કોંગ્રેસનું વલણ હંમેશાની જેમ ભાજપને હરાવવાનું નહિ પરંતુ પોતાની વિપક્ષી પાર્ટીઓને હરાવવાનું રહ્યુ છે.

કોંગ્રેસને ગેરસમજ છે કે તે એકલા જ ભાજપને હરાવી દેશે
માયાવતીએ દિગ્વિજય સિંહના તે નિવેદનને ખોટુ ગણાવ્યુ જેમાં તેમણે કહ્યુ હતુ કે સીબીઆઈની તપાસના દબાણના કારણે તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ નહિ. માયાવતીએ કહ્યુ, ‘અમે બાબા સાહેબની અનુયાયી છે અને જે બાબા સાહેબના અનુયાયી હોય છે તે કોઈ બીજાના હાથનું રમકડુ ન બની શકે.' માયાવતીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે બાબા સાહેબના નિધન પર એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક ઘોષિત નહોતો કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દલિતો અને શોષિતોનો અવાજ ઉઠાવનાર બાબા સાહેબને ભારત રત્ન આપવામાં પણ આનાકાની કરી. કોંગ્રેસને ગેરસમજ છે કે તે એકલા જ ભાજપને સામ, દામ, દંડ, ભેદ અને ઈવીએસ જેવી ચાલોથી પાર કરીને જીત મેળવી લેશે જે ઘણુ હાસ્યાસ્પદ છે.

ભાજપ પર હુમલો
માયાવતીએ કહ્યુ કે છેલ્લા પરિણામોથી સ્પષ્ટ થાય છે કે જ્યાં ભાજપનો સીધો સામનો કોંગ્રેસ સાથે રહ્યો ત્યાં ભાજપે સરળતાથી જીત નોંધાવી હતી. ભાજપ પર હુમલો કરતા માયાવતીએ કહ્યુ કે ભાજપની મહિલા વિરોધી, પૂંજીપતિઓની સહયોગી અને દમનકારી નીતિઓ સામે અમારા પક્ષે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
