For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રા

માયાવતીના નજીકના અને વિશ્વાસપાત્ર નેતા એસસી મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે બસપા સુપ્રીમો માયાવતી આજે લખનઉમાં જ રહેશે.

|
Google Oneindia Gujarati News

માયાવતીના નજીકના અને વિશ્વાસપાત્ર નેતા એસસી મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે બસપા સુપ્રીમો માયાવતી આજે લખનઉમાં જ રહેશે. દિલ્લીમાં કોઈ મીટિંગ આજે થવાની નથી. તમને જણાવી દઈએ કે એવા સમાચાર હતા કે આજે દિલ્લીમાં માયાવતી કેન્દ્રમાં નવી સરકારની રચના માટે વિપક્ષી દળોને એક કરવાની કોશિશો દરમિયાન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેવાની વાત કહેવામાં આવી હતી.

mayawati

મીડિયા સૂત્રોએ કહ્યુ હતુ કે રવિવારે માયાવતી સોમવારે લખનઉથી દિલ્લી પહોંચશે. ત્યારબાદ તેમનો કાર્યક્રમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવાનો છે. આ પ્રસ્તાવિત મુલાકાતને વિપક્ષી દળોના એક મંચ પર આવવાની સંભાવનાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ હતુ.

ચંદ્રબાબુ નાયડુ વિપક્ષને એક કરવાની કોશિશ કરી રહ્યા છે

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ વિપક્ષી દળોને એક કરવાની કોશિશોમાં લાગેલા છે. આ સિલસિલામાં ગયા શનિવારે તેમણે માયાવતી સાથે મુલાકાત કરી હતી. હવે માયાવતીની સોનિયા અને રાહુલ સાથે સંભવિત મુલાકાતને નાયડુના પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવી રહ્યુ હતુ. જો કે આજે દિલ્લીમાં તો કોઈ મુલાકાત નથી થઈ રહી. જોઈએ રાજકીય પારો ક્યાં સુધી પહોંચે છે.

આ પણ વાંચોઃ આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળાઆ પણ વાંચોઃ આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા

English summary
BSP leader SC Mishra to ANI: Mayawati ji has no programme or meetings scheduled in Delhi today, she will be in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X