MCD ચૂંટણી માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી 10 ગેરેન્ટી
દિલ્લીમાં યોજાનાર એમસીડી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે 'કેજરીવાલની 10 ગેરેન્ટી' લૉન્ચ કરી દીધી છે.
દિલ્લીમાં યોજાનાર એમસીડી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે 'કેજરીવાલની 10 ગેરેન્ટી' લૉન્ચ કરી દીધી છે. આ પહેલા સીએમ કેજરીવાલે કહ્યુ કે અમે જે કહીએ છે તે કરીએ છીએ, અમે ફેવિકૉલની જોડની જેમ છે તૂટતા નથી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારે મને ગાળો દેવા સિવાય એમસીડીને એક પૈસો નથી આપ્યો. બીજી પાર્ટીવાળા વચનપત્ર જાહેર કરે છે પરંતુ તેમના નિયત સાફ નથી હોતી.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમણે કહ્યુ હતુ કે કચરાના પહાડ ખતમ કરી દઈશુ, દરેક ગલી કચરા મુક્ત હશે પરંતુ કંઈ થયુ નહિ, આ બધા ખોટા વચનો છે. બધા બજારો કચરાથી ભરેલા પડ્યા છે. કેજરીવાલે કહ્યુ કે ભ્રષ્ટાચાર કરે છે આ લોકો અને જેલમાં મોકલે છે સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને. આ લોકોએ દિલ્લી સરકારનુ કામ અટકાવવા અને દિલ્લીવાસીઓની હાલત ખરાબ કરવામાં કોઈ કસર નથી છોડી. ભારતના ઈતિહાસમાં આવુ પહેલી વાર થયુ છે કે કેન્દ્ર સરકાર કહે છે કે રાજ્ય સરકાર અમને પૈસા નથી આપતી, આ લોકોને આવુ બોલતા શરમ પણ નથી આવતી.
કેજરીવાલે વધુમાં કહ્યુ કે તેમણે કહ્યુ હતુ કે તેઓ કચરાના પહાડોને ખતમ કરી દેશે. હવે તેમના નેતાઓ ટીવી પર કહી રહ્યા છે કે એ તો દરેક શહેરમાં થાય છે. તો લંડનમાં ક્યાં છે? બજાર સાફ કરવાનુ કહ્યુતુ, બધુ ગંદુ છે. તેમણે એકપણ વચન પાળ્યુ નહિ, લોકોનું જીવન બરબાદ કરવાનુ કામ કર્યુ. યોગા ક્લાસ બંધ કરાવ્યા. ઘર-ઘર રાશન યોજના બંધ થઈ ગઈ. રેડ લાઈટ ઑન ગાડી ઓફ ઝુંબેશ બંધ કરાવી દીધી. દિલ્લીના લોકોને મારી અપીલ છે કે 'કામ કરનારાઓને વોટ આપો, કામ બંધ કરનારાઓને વોટ ન આપો'.
આમ આદમી પાર્ટીની 10 ગેરેન્ટીઓ
દિલ્લીને સુંદર બનાવશે
ત્રણેય કચરાના પહાડોને ખતમ કરશે, ભ્રષ્ટાચાર મુક્ત MCD થશે
પાર્કિંગની સમસ્યા ઉકેલાશે
દિલ્લીને રખડતા પ્રાણીઓથી મુક્ત કરાવશે
મહાનગરપાલિકાની શેરીઓ ઠીક કરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓ અને હૉસ્પિટલોને ઠીક કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પાર્કને શાનદાર બનાવશે
બધા કાચા કર્મચારીઓને પાક્કા કરવામાં આવશે,
વેપારીઓ માટે લાઇસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવશે
લારી-ગલ્લાવાળાઓ માટે વેનિંગ ઝોન બનાવશે, તેમને પણ ભ્રષ્ટાચાર મુક્ત બનાવશે
MCD में @ArvindKejriwal की 10 Guarantee
— AAP (@AamAadmiParty) November 11, 2022
1️⃣कूड़े के पहाड़ ख़त्म,साफ़ Delhi
2️⃣वसूली बंद
3️⃣Parking समस्या ख़त्म
4️⃣आवारा जानवरों का समाधान
5️⃣बेहतर सड़कें-गलियां
6️⃣शिक्षा-स्वास्थ्य
7️⃣सुंदर Parks
8️⃣समय पर वेतन
9️⃣व्यापारियों को समस्याओं से मुक्ति
🔟Vending Zone#KejriwalKiMCDGuarantee pic.twitter.com/hKxf4W2EIr
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
