કાલાપાની બૉર્ડરઃ વિદેશ મંત્રાલયે કહ્યુ, નેપાળ માટે નક્શામાં ફેરફારનો સવાલ જ નથી
નેપાળ કાલાપાની સીમા મુદ્દે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારનો નિવેદન આવ્યુ છે.
છેલ્લા ઘણા સમયથી ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની બૉર્ડર માટે ટકરાવની સ્થિતિ બનેલી છે. નેપાળ, ભારતના એ નક્શાથી નારાજ છે જેમાં ઉત્તરાખંડ-નેપાળની સીમા પર પડતી કાલાપાનીને ભારતીય વિસ્તારમાં બતાવવામાં આવ્યુ છે. જો કે નેપાળ આ મુદ્દે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારનો નિવેદન આવ્યુ છે.

રવીશ કુમારે કહ્યુ કે અમારો નક્શો ભારતના સંપ્રભુ ક્ષેત્રને યોગ્ય રીતે ચિત્રિત કરે છે. નવા નક્શામાં નેપાળ સાથે લાગેલી અમારી સીમામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. જો કે સરકારે સાથે એ પણ કહ્યુ છે કે પરિસીમનની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે નેપાળના મીડિયામાં એવા સમાચાર આવ્યા હતાકે 15 જાન્યુઆરીએ આ મુદ્દે બંને દેશો વચ્ચે વાતચીત થશે.
ભારતમાં નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ કહ્યુ હતુ કે કાલાપાની સહિત સીમા સાથે જોડાયેલા બધા મુદ્દાઓ ઉકેલવા માટે નેપાળ વિદેશ સચિવ સ્તરીય વ્યવસ્થા ઈચ્છે છે. સાથે જ તેમણે કહ્યુ હતુ કે સંબંધોમાં ખટાશને રોકવા માટે કાલાપાની સીમા સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલવો જરૂરી છે. બીજી તરફ નેપાળની સુપ્રીમ કોર્ટે આ મુદ્દે બે વાસ્તવિક નક્શાને ઉપલબ્ધ કરાવવા કહ્યુ છે.
આ પહેલા, નવા નક્શા પર નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલી તરફથી નિવેદન આવ્યુ હતુ. ઓલીએ કહ્યુ હતુ, 'સરકાર કોઈને પણ પોતાની જમીનનો એક ઈંચ હિસ્સો પણ નહિ લેવા દે. તેમણે આગળ કહ્યુ હતુ, પડોશી દેશે તરત જ અમારી સીમામાંથી પોતાની સેનાને પાછી બોલાવવી પડશે.' જ્યારે નેપાળના પીએમના આ નિવેદન બાદ ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે તેણે નેપાળ સાથેની સીમા સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
