Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મંત્રી ખરાબ નથી, મીડિયાએ તેની છબી બગાડી છે: રામગોપાલ યાદવ

ramgopal yadav
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: શુક્રવારે સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે એ સમયે મીડિયાનો ઉધડો લઇ લીધો જ્યારે તેમને કે સી પાંડે અને મંત્રીમંડળ વિસ્તારમાં નવા મંત્રીના રૂપમાં સામેલ વિનોદસિંહ ઉર્ફ પંડિત સિંહની છબી ખરાબ હોવાનો સવાલ કરવામાં આવતા તેઓ ઉકળી ઉઠ્યા. પંડિત સિંહ પર ગોંડાના સીએમઓનું અપહરણ અને ધમકી આપવાનો આરોપ છે. રામગોપાલ યાદવે નારાજ થઇને જણાવ્યું કે દાગીઓને મંત્રી નથી બનાવ્યા પરંતુ મીડિયાએ તેમને દાગી બનાવ્યા છે.

રામગોપાલ યાદવે 2014ની ચૂંટણીમાં પોતાની પાર્ટીના વિજયનો દાવો કરતા જણાવ્યું કે ઓછામાં ઓછી 60 બેઠક જીતીને સમાજવાદી પાર્ટી કેન્દ્રની સરકાર બનાવવા માટે મુખ્ય ભૂમિકાનું નિર્વહન કરશે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવે આજમગઢ શુક્રવારે સવારે પોતાના કાર્યક્રમમાં જવા માટે વારાણસી બાબતપૂર એરપોર્ટ પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રોફેસર રામગોપાલ યાદવે 2014ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની મજબૂતીનો દાવો કર્યો હતો.

ઇલાહાબાદમાં ચાલી રહેલા કુંભ મેળામાં ધર્મ સંસદમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રીના ઉમેદવાર સંતોની જાહેરાત ઉપર ભડકેલા પ્રોફેસરે જણાવ્યું કે ત્યાં કોઇ સંત ન્હોતા. કઇ ધર્મ સંસદ? કઇ વાતની સંસદ, કોઇ સંત તેમાં હતો જ નહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X