પીએમ મોદી અને મમતા બેનરજી વચ્ચે થઇ બેઠક, સીએએ અને એનઆરસીને લઇને દર્શાવી નારાજગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. કોલકાતા પહોંચતા જ તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. પીએમ અને સીએમ બેઠક કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. કોલકાતા પહોંચતા જ તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. પીએમ અને સીએમ બેઠક કરી રહ્યા છે જ્યારે સુધારેલા નાગરિકત્વ કાયદાને લઈને રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી તેમના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150 મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

મમતા બેનરજીએ સીએએ, એનઆરસીને લઇને જતાવી નારાજગી
મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે અમે એનઆરસી, એનપીઆર અને સીએએ વિરુદ્ધ છીએ. અમે સીએએ અને એનઆરસીને પાછું ખેંચવા માંગીએ છીએ. શનિવારે મમતા બેનર્જીએ રાજભવનમાં પીએમ મોદી સાથે બેઠક યોજી હતી.

વારસાગત ઇમારતોનુ કરશે લોકાર્પણ
વડા પ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ શનિવારે વડા પ્રધાન કોલકાતામાં ચાર વારસાગત ઇમારતો રાષ્ટ્રને અર્પણ કરશે. આ ઇમારતોમાં જૂની કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેટકોફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ શામેલ છે, એમ નિવેદનમાં જણાવાયું છે. સંસ્કૃતિ મંત્રાલયે તેની સમારકામ અને શણગારનું કામ કર્યું છે.
|
કોલકાતા પોર્ટ ટ્રસ્ટમાં આપશે હાજરી
રવિવારે પીએમ મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટ કાર્યક્રમમાં આપશે હાજરી. તે કોલકાતા પોર્ટ ટ્રસ્ટના વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન ફંડમાં રહેલી ખામીને પહોંચી વળવા અંતિમ પતાવટ અંતર્ગત રૂ. 501 કરોડનો ચેક પણ આપશે.












Click it and Unblock the Notifications
