મેઘાલય : ઉગ્રવાદીઓએ બળાત્કારનો પ્રતિકાર કરનારી મહિલાને ઠાર કરી
શિલોંગ, 4 જૂન : મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાના રાજા રોંગટ ગામમાં જીએનએલએના ઉગ્રવાદીઓએ એક મહિલાની છેડતી બાદ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેનો વિરોધ કરતા ઉગ્રવાદીઓએ તેણીને તેના બાળકો સામે માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.
આ ઘટના અંગે મેઘાલય પોલીસે કહ્યું કે ગારો નેશનલ લિબરેશન ફ્રન્ટ (GNLA)નામના સંગઠનના ચાર-પાંચ ઉગ્રવાદીઓ મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે તે સ્ત્રીનાં પાંચ બાળકો અને પતિની નજર સામે તેની મારપીટ કરી હતી અને પછી તેને ઠાર કરી હતી. હુમલો કર્યા બાદ ત્રાસવાદીઓએ બધાને એક રૂમમાં પૂરી બંધ દીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાસવાદીઓએ મહિલાને કુલ 6 ગોળી મારી હતી. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને પહેલા સ્ત્રી પર હુમલો કર્યો હતો અને પછી જ્યારે છેડતી કરવા લાગ્યા ત્યારે સ્ત્રીએ પ્રતિકાર કર્યો હતો. તેનાથી ભડકેલા ત્રાસવાદીઓએ ઓટોમેટિક રાઈફલોમાંથી તે સ્ત્રીનાં માથા પર ખૂબ નજીકથી ગોળીબાર કર્યો હતો જેને કારણે સ્ત્રીનાં માથાનાં બે ટૂકડા થઈ ગયા હતા.
જીએનએલએફના ઉગ્રવાદીઓ ગારો હિલ્સ જિલ્લામાં હત્યા, અપહરણ અને દમદાટીથી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓમાં સંડોવાયેલા છે. ગારો હિલ્સ વિસ્તારના સંસદસભ્ય પી.એ. સંગ્માએ બનાવને વખોડી કાઢ્યો છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
