Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેહુલ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ નક્કી નહી, ડોમિનિકાથી ખાલી હાથે રવાના થયુ ભારતીય વિમાન: સુત્ર

ભાગેડુ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને હાલમાં ભારત આવવાની કોઈ આશા દેખાતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોમિનિકા પહોંચેલા ભારતીય અધિકારીઓનું ખાનગી વિમાન મેહુલ ચોક્સી વિના ત્યાંથી રવાના થયું

ભાગેડુ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને હાલમાં ભારત આવવાની કોઈ આશા દેખાતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોમિનિકા પહોંચેલા ભારતીય અધિકારીઓનું ખાનગી વિમાન મેહુલ ચોક્સી વિના ત્યાંથી રવાના થયું છે. ભારતીય વિમાન ગુરુવારે (03 જૂન) ડેમિનીકાથી રવાના થયું. જોકે આ વિમાન ક્યાં ગયુ તે અંગેની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી. મેહુલ ચોક્સી હાલમાં પોલીસની દેખરેખ હેઠળ ડોમિનિકાની એક હોસ્પિટલમાં દાખલ છે.

મે 28ના ભારતીય ટીમ મેહુલ ચોક્સીને લેવા ડોમિનિકા ગઈ હતી

મે 28ના ભારતીય ટીમ મેહુલ ચોક્સીને લેવા ડોમિનિકા ગઈ હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંભવિત દેશનિકાલ બાદ મેહુલ ચોક્સીને ભારત લાવવા ડોમિનીકામાં આવેલી ભારતીય ટીમ ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી વિના કેરેબિયન ટાપુ ગઈ છે. કતારના એક્ઝિક્યુટિવનું બોમ્બાર્ડિયર ગ્લોબલ 5000 બિઝનેસ જેટ ગુરુવારે રાત્રે 8:10 વાગ્યે ટાપુ પરથી ઉપડ્યું હતુ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના 2 અધિકારીઓ સહિત 8 સભ્યોની એક ટીમ મેહુલ ચોક્સીને ભારત લાવવા 28 મેના રોજ ડોમિનિકા ગઈ હતી. મેહુલ ચોક્સી ડોમિનિકા-ચાઇના ફ્રેન્ડશીપ હોસ્પિટલમાં પોલીસ સુરક્ષા હેઠળ છે.

મેહુલ ચોક્સી આગામી 1 મહિના સુધી ભારત પાછા આવશે તેવી અપેક્ષા નથી

મેહુલ ચોક્સી આગામી 1 મહિના સુધી ભારત પાછા આવશે તેવી અપેક્ષા નથી

ફરાર ડાયમંટેર મેહુલ ચોક્સી ઓછામાં ઓછા આવતા એક મહિના માટે ભારત પાછા આવે તેવી સંભાવના નથી. ડોમિનિકાની બે અદાલતો હીરાના વેપારીના બે અલગ અલગ કેસની સુનાવણી કરી રહી છે જેમાં ભારતને દેશનિકાલ કરવામાં આવી શકે છે. સુત્રોએ જણાવ્યું હતું કે બંને કેસનો નિકાલ થાય ત્યાં સુધી મેહુલ ચોક્સીને ભારત મોકલવામાં આવશે નહીં.

આ 2 કેસ અંગે મેહુલ ચોક્સી સામે સુનાવણી

આ 2 કેસ અંગે મેહુલ ચોક્સી સામે સુનાવણી

મેહુલ ચોક્સીએ દાખલ કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટે તે નિર્ણય લેવાનો છે કે મેહુલ ચોક્સીને ડોમિનિકન પોલીસે ગેરકાયદેસર રીતે ધરપકડ કર્યા બાદ તેને કયા દેશમાં પાછો મોકલવો જોઇએ. બીજા એક કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ મેહુલ ચોક્સીના તેમના દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસની સુનાવણી કરી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે મેહુલ ચોક્સી જ્યાં સુધી બંને કેસ અંગે કોર્ટ નિર્ણય નહીં લે ત્યાં સુધી ભારતની મુલાકાત લેવાની ધારણા નથી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મેહુલ ચોક્સીને ભારત લાવવા અમે કટિબદ્ધ છીએ

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મેહુલ ચોક્સીને ભારત લાવવા અમે કટિબદ્ધ છીએ

ડોમિનિકન હાઈકોર્ટે મેહુલ ચોક્સી કેસની સુનાવણી ગુરુવારે (03 જૂન) મુલતવી રાખી છે. હવે પછીની સુનાવણી માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સંભવત છે કે સુનાવણી 1 જુલાઈએ રાખવામાં આવશે. બીજા કેસમાં, જેની સુનાવણી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે, આ મામલાની સુનાવણી 14 જૂને થશે. મેહુલ ચોક્સી ત્યાં સુધી ડોમિનિકન પોલીસ કસ્ટડીમાં રહેશે. મામલો મુલતવી રહે તે પહેલાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે મેહુલ ચોક્સીને ડોમિનિકાથી લાવવા ભારત કટિબદ્ધ છે. ડોમિનીકન મેજિસ્ટ્રેટની કોર્ટે બુધવારે (02 જૂન) મેહુલ ચોક્સીને 'ગેરકાયદેસર પ્રવેશ' ના આરોપમાં જામીન નામંજૂર કરી દીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X