એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતી
યૌન શોષણના ઘણા આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર એક પત્રકારે બળત્કારનો આરોપ લગાવ્યો છે.
યૌન શોષણના ઘણા આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર એક પત્રકારે બળત્કારનો આરોપ લગાવ્યો છે. એનપીઆરની ચીફ બિઝનેસ એડિટર પલ્લવી ગોગોઈએ અકબર પર તેના યૌન શોષણ અને બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ગોગોઈએ બ્લોગ લખીને જણાવ્યુ કે વર્ષો પહેલા એશિયલ એજમાં કામ દરમિયાન એમ જે અકબરે તેના પર બળાત્કાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે #MeToo અભિયાન હેઠળ 20થી વધુ પત્રકાર એમ જે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવી ચૂકી છે.

પલ્લવીએ વોશિંગ્ટન પોસ્ટમાં લખ્યો બ્લોગ
એનપીઆરની ચીફ બિઝનેસ એડિટર પલ્લવી ગોગોઈએ અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટ વેબસાઈટમાં બ્લોગ લખીને અકબરની કરતૂતોનો ખુલાસો કર્યો છે. ગોગોઈએ પોતાના બ્લોગમાં લખ્યુ, ‘હું 22 વર્ષની હતી જ્યારે હું એશિયન એજમાં કામ કરવા ગઈ, જ્યાં મોટાભાગે મહિલાઓ હતી. અમે બધા અકબર સાથે કામ કરીને ખુશ હતા. તેમનું પત્રકારત્વમાં ઘણુ નામ હતુ.' ગોગોઈએ લખ્યુ કે એવો કોઈ દિવસ નહોતો જ્યારે અકબર તેમાંથી કોઈના પર બૂમો નહોતા પાડતા પરંતુ દરેક જણ તે સહન કરી લેતા.

‘રૂમમાં કિસ કરવા માટે આગળ વધ્યા અકબર'
ગોગોઈએ જણાવ્યુ કે, ‘23 વર્ષની ઉંમરમાં અકબરે તેને ઓપ-એડ પાનાંની એડિટર બનાવી દીધી. આટલી નાની ઉંમરમાં આ એક મોટી જવાબદારી હતી પરંતુ પોતાની પસંદગીની નોકરી માટે હું ટૂંક જ સમયમાં મોટી કિંમત ચૂકવવા જઈ રહી હતી. તે 1994ની ગરમીઓની વાત છે જ્યારે હું તેમના રૂમમાં પેજ અને હેડલાઈન બતાવવા ગઈ હતી. તેમણે મારા પ્રયત્નોની પ્રશંસા કરી અને પછી મને કિસ કરવા માટે આગળ વધ્યા. હું બેલેન્સ ખોઈને ઓફિસની બહાર નીકળી ગઈ.' ગોગોઈએ જણાવ્યુ કે તેના થોડા મહિનાઓ બાદ અકબરે ફરીથી આમ કર્યુ.
|
‘હું ભાગવા લાગી તો તેમણે મારો ચહેરો નોચ્યો'
તેમણે મને કહ્યુ, ‘મને એક મેગેઝીનની લોન્ચિંગમાં મદદ માટે બોમ્બો બોલાવવામાં આવી. તેમણે લેઆઉટ જોવા માટે મને તેમની ફેન્સી તાજ હોટલના રૂમમાં બોલાવી. જ્યારે તે મને કિસ કરવા માટે આગળ વધ્યા તો હું તેમની સાથે લડી અને તેમને પાછળ ધકેલી દીધા. હું ભાગવા લાગી તો તેમણે મારો ચહોર નોચી લીધો. જ્યારે હું પાછી દિલ્હી આવી તો અકબરે મને ધમકી આપી કે જો મે તેમને ફરીથી રોક્યા તો મને નોકરીમાંથી કાઢી મૂકશે પરંતુ મે નોકરી છોડી નહિ. આ ઘટના બાદ એક સ્ટોરી મને દિલ્હીથી દૂર લઈ ગઈ. આ અસાઈનમેન્ટ જયપુરમાં ખતમ થવાનુ હતુ.'

‘હું કેમ એ રૂમમાં ગઈ?'
અકબરે મને કહ્યુ કે હું જયપુરમાં તેમની હોટલમાં આવીને સ્ટોરી ડિસ્કસ કરુ. એ રૂમમાં તેમણે મારા કપડા ફાડ્યા અને મારા પર બળાત્કાર કર્યો. હું તેમની સામે લડી પરંતુ તે શારીરિક રીતે ઘણા તાકાતવાળા હતા. તેમની સામે પોલિસમાં ફરિયાદ દાખલ કરાવવાના બદલે હું શરમમાં ડૂબી ગઈ. મે આના વિશે ત્યારે કોઈને પણ ન કહ્યુ. શું કોઈ મારો વિશ્વાસ કરતુ? મે મારા પોતાના પર આરોપ લગાવ્યો. હું કેમ એ રૂમમાં ગઈ? પલ્લવી ગોગોઈએ લખ્યુ કે ત્યારબાદ અકબરની તેના પર પકડ વધુ મજબૂત થઈ ગઈ.

પલ્લવીને કોઈ બીજા પુરુષ સાથે વાત કરતા જોતા ગુસ્સામાં આવી જતા અકબર
પલ્લવીને કોઈ પણ પુરુષ સાથે વાત કરતા જોઈને તે ગુસ્સામાં આવી જતા હતા. એક વાર લંડન ઓફિસમાં જ્યારે અકબરે તેમને એક કર્મચારી સાથે વાત કરતા જોયા તો ત્યારબાદ તેમણે ગોગોઈને માર્યુ હતુ અને કેચીથી લઈને પેપરવેટ પણ તેમના પર ફેંકી દીધુ હતુ. ‘હું ત્યારબાદ કલાકો સુધી રોતી રહી. હું ઈમોશનલી, ફિઝીકલી, મેન્ટલી તૂટી ચૂકી હતી. હું જાણતી હતી કે મારે આમાંથી બહાર નીકળવાનું છે.' આ ઘટના બાદ પલ્લવીએ નોકરી છોડી ન્યૂયોર્કમાં બીજી કંપની જોઈન કરી.

અકબર સામે પ્રિયા રમાનીએ બુલંદ કર્યો હતો અવાજ
એમ જે અકબર પર અત્યાર સુધી ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવી ચૂકી છે. બળાત્કારનો આ પહેલો કેસ છે. પલ્લવી ગોગોઈના આરોપોને એમ જે અકબરે ખોટા ગણાવ્યા છે. એમ જે અકબર સામે સૌથી પહેલા પત્રકાર પ્રિયા રમાનીએ અવાજ ઉઠાવ્યો હતો. રમાનીએ #MeToo કેમ્પેઈ હેઠળ એમ જે અકબર પર 20 વર્ષ પહેલા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઘણી મહિલાઓ ખુલીને સામે આવી હતી અને પોતાની સાથે થયેલી ઘટનાઓનો ખુલાસો કર્યો હતો.

ચારે તરફ દબાણ બાદ અકબરે આપ્યુ હતુ રાજીનામુ
પોતાની ઉપર લાગેલા બધા આરોપોને ખોટા ગણાવતા અકબરે પ્રિયા રમાની સામે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો હતો જેના પર સુનાવણી ચાલી રહી છે. મહિલાઓ અને વિપક્ષના દબાણ બાદ કેસની સુનાવણી શરૂ થવાની બરાબર પહેલા અકબરે રાજીનુ સોંપ્યુ હતુ. જો કે અકબર હજુ પણ સાંસદ છે. ભાજપે તેમના પર કોઈ કાર્યવાહી ન કરવા અને તેમના સાંસદ બની રહેવા પર સરકારની ઘણી ટીકા થઈ રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
