પીએમ મોદી આજે અજમેરથી ફૂંકશે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ
રશિયા સાથે ઘણી સફળ સમજૂતીઓ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ચૂંટણી રેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે.
રશિયા સાથે ઘણી સફળ સમજૂતીઓ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ચૂંટણી રેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી મોદી શનિવારે રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના અનુસંધાનમાં એક રેલી સંબોધિત કરશે. પીએમ મોદી મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાના સમાપન પર આજે અજમેર પહોંચી રહ્યા છે જ્યાં તે કાયડ વિશ્રામ સ્થળ પહોંચશે અને જનસભાને સંબોધિત કરશે.

રાજસ્થાનની સીએમ વસુંધરા રાજેએ 4 ઓગસ્ટના રોજ રાજ્યામાં ગૌરવ યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન સીએમ રાજેએ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ પણ કર્યો હતો. આ યાત્રામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા નેતા શામેલ થયા અને હવે તેના સમાપન સમારંભમાં પીએમ મોદી એક મોટી જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે.
પીએમ મોદી આ પહેલા સંયુક્ત કમાન્ડરના સંમેલનમાં ભાગ લેવા અને પરાક્રમ પર્વનું ઉદઘાટન કરવા માટે 28 સપ્ટેમ્બરે જોધપુર આવ્યા હતા. પ્રધાનમંત્રી અજમેર પહોંચ્યા બાદ 1 વાગે રેલીને સંબોધિત કરશે અને રેલીને સંબોધિત કર્યા બાદ બપોરે 2.20 કલાકે જયપુર જશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
