ભાજપના રોડ શોમાં દુર્ઘટના, બાલ-બાલ બચ્યા અરૂણ જેટલી
નવી દિલ્હી, 18 માર્ચ: લોકસભા ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર રાજકીય મેદાનમાં ઉતરેલા ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનો પહેલો રોડ શો યાદગાર બની ગયો. પહેલા જ રોડ શોમાં તેમને જોરદાર ઝટકો લાગ્યો. અમૃતસરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડનાર અરૂણ જેટલી આજે અમૃતસરમાં રોડ શોક કરવા આવી પહોંચ્યા હતા. રોડ શો દ્વારા જ જેટલીએ પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી.
આ રોડ શો દરમિયાન સારી એવી ભીડ એકઠી થયેલી દેખાઇ રહી હતી. રોડ શો દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ ફટાકડાઓ સળગાવી રહ્યા હતા. ખુલ્લી ગાડીમાં જેટલી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, અચાનક એક ફટાકડો જેટલીના હાથમાં આવી ગયો અને તેમનો હાથ સળગી ગયો. આ ઘટના બાદ તેમણે તાત્કાલિક રોડ શો બંધ કરાવી દીધો. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને ઘરે જવાની પરવાનગી આપી દીધી.
સારવાર કરાવ્યા બાદ જેટલીએ ફરીથી રોડ શો શરૂ કરી દીધો. તેમણે પાર્ટી તરફથી મળેલી ટિકિટ માટે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો અને રોડ શો સમાપ્ત કર્યા બાદ સુવર્ણ મંદિર પણ ગયા.
અત્રે નોંધનીય છે કે ભાજપમાં આ વખતે ટિકિટ વહેંચણીને લઇને રોષ છે. ચંદીગઢમાં પણ કિરણ ખેરને ભાજપ કાર્યકર્તાઓએ કાળા વાવટા બતાવ્યા. ભાજપ કાર્યકર્તા ચંદીગઢથી કિરણ ખેરને ટિકિટ મળવાથી નારાજ છે, તેમણે એ વાતનો વિરોધ કાળા વાવટા બતાવીને કર્યો.
સમગ્ર ઘટના જુઓ તસવીરોમાં...

બાલ-બાલ બચ્યા અરૂણ જેટલી
ભાજપના રોડ શોમાં દુર્ઘટના, બાલ-બાલ બચ્યા અરૂણ જેટલી.

બાલ-બાલ બચ્યા અરૂણ જેટલી
લોકસભા ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર રાજકીય મેદાનમાં ઉતરેલા ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનો પહેલો રોડ શો યાદગાર બની ગયો. પહેલા જ રોડ શોમાં તેમને જોરદાર ઝટકો લાગ્યો. અમૃતસરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડનાર અરૂણ જેટલી આજે અમૃતસરમાં રોડ શોક કરવા આવી પહોંચ્યા હતા. રોડ શો દ્વારા જ જેટલીએ પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી.

બાલ-બાલ બચ્યા અરૂણ જેટલી
આ રોડ શો દરમિયાન સારી એવી ભીડ એકઠી થયેલી દેખાઇ રહી હતી. રોડ શો દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ ફટાકડાઓ સળગાવી રહ્યા હતા. ખુલ્લી ગાડીમાં જેટલી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, અચાનક એક ફટાકડો જેટલીના હાથમાં આવી ગયો અને તેમનો હાથ સળગી ગયો. આ ઘટના બાદ તેમણે તાત્કાલિક રોડ શો બંધ કરાવી દીધો. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને ઘરે જવાની પરવાનગી આપી દીધી.

સુવર્ણ મંદિરની મુલાકાત
સારવાર કરાવ્યા બાદ જેટલીએ ફરીથી રોડ શો શરૂ કરી દીધો. તેમણે પાર્ટી તરફથી મળેલી ટિકિટ માટે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો અને રોડ શો સમાપ્ત કર્યા બાદ સુવર્ણ મંદિર પણ ગયા.

કિરણ ખેરને ચંદીગઢની ટિકિટ
ભાજપ કાર્યકર્તા ચંદીગઢથી કિરણ ખેરને ટિકિટ મળવાથી નારાજ છે.

કિરણ ખેરનો વિરોધ
અત્રે નોંધનીય છે કે ભાજપમાં આ વખતે ટિકિટ વહેંચણીને લઇને રોષ છે. ચંદીગઢમાં પણ કિરણ ખેરને ભાજપ કાર્યકર્તાઓએ કાળા વાવટા બતાવ્યા. ભાજપ કાર્યકર્તા ચંદીગઢથી કિરણ ખેરને ટિકિટ મળવાથી નારાજ છે, તેમણે એ વાતનો વિરોધ કાળા વાવટા બતાવીને કર્યો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
