મિસ યુનિવર્સ-1995 ચેલ્સી સ્મિથનું કેન્સરથી નિધન, સુસ્મિતાએ પહેરાવ્યો હતો તાજ
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવુડ હસીના સુસ્મિતા સેને મિસ યુનિવર્સ- 1995 ચેલ્સી સ્મિથના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવુડ હસીના સુસ્મિતા સેને મિસ યુનિવર્સ- 1995 ચેલ્સી સ્મિથના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે ચેલ્સી સ્મિથનું શનિવારે કેન્સરના કારણે નિધન થઈ ગયુ છે. તે માત્ર 45 વર્ષની હતી.
સુસ્મિતાએ પહેરાવ્યો હતો ચેલ્સીને મિસ યુનિવર્સનો તાજ
તમને જણાવી દઈએ કે ચેલ્સીએ વર્ષ 1995 માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. તેને આ તાજ ભારતીય સુંદરી સુસ્મિતા સેને જ પહેરાવ્યો હતો કારણકે વર્ષ 1994 ની તે વિજેતા હતી. સુસ્મિતાએ તે પળો યાદ કરતા ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે.
આ પણ વાંચોઃ મહાત્મા ગાંધીની સમાધિ પર રાહુલે ચડાવ્યુ કૈલાશ માનસરોવરથી લાવેલુ જળ
|
ચેલ્સી સ્મિથના નિધન પર દુખી સુસ્મિતાએ લખી ભાવુક પોસ્ટ
સુસ્મિતાએ ટ્વિટ કર્યુ છે કે મને તેનું સ્મિત અને તેનુ પરિપક્વ વ્યક્તિત્વ ખૂબ જ પસંદ હતુ. મારી પ્રેમાળ દોસ્તની આત્માને શાંતિ મળે, મિસ યુનિવર્સ-1995 સ્મિથ, આ પોસ્ટ સાથે સુસ્મિતાએ એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તેમણે પોતાના મિસ યુનિવર્સના તાજને સ્મિથને પહેરાવતો જોવા મળી રહ્યો છે.
કેન્સરથી પીડિત હતી ચેલ્સી સ્મિથ
ઉલ્લેખનીય છે કે ઘણા જાણીતા ટીવી શો કર્યા હતા. તેના મૃત્યુના શોકમાં ટેલિવિઝન સ્ટાર શેના મોક્લરે શોક વ્યક્ત કરતા લખ્યુ કે આ દુખની ઘડી છે. મને આ લખતા દુખ થઈ રહ્યુ છે, મારી સુંદર દોસ્ત હવે આપણી વચ્ચે નથી.
આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે સોનિયા ગાંધીના રાજઘાટ પર ધરણાં