અરુણાચલ પ્રદેશમાં ગાયબ એરક્રાફ્ટનો કાટમાળ મળ્યો
ત્રણ જૂને આસામના જોરહાટથી ગાયબ ઇન્ડિયન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એઈક્રાફ્ટ એએન-32 કાટમાળ મળી આવ્યો છે.
ત્રણ જૂને આસામના જોરહાટથી ગાયબ ઇન્ડિયન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એઈક્રાફ્ટ એએન-32 કાટમાળ મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એરક્રાફ્ટનો કેટલોક હિસ્સો અરુણાચલ પ્રદેશના ઉત્તરમાં લિપોમાં મળ્યું છે. હાલમાં એરફોર્સ ઘ્વારા કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે. એરફોર્સ ઘ્વારા પણ તેની અધિકારીક પુષ્ટિ કરી દેવામાં આવી છે.
ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા શુ કહેવામાં આવ્યું
ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાયબ એએન-32 વિમાનનો કાટમાળ લિપોથી 16 કિલોમીટર દૂર ઉત્તરમાં એક ઉત્તર પૂર્વી દિશામાં લગભગ 12,000 ફુટ ઉંચાઈ પર મળ્યું છે. આ વિસ્તારમાં વાયુસેનાના હેલીકૉપટર સર્ચ ઓપરેશનમાં લાગ્યા છે, જે જગ્યાથી એએન-32 કાટમાળ મળ્યો છે તે જગ્યા અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં ભારતીય એરફોર્સનું વિમાન AN-32 લાપતા થઈ ગયું છે. આઠ ક્રૂ મેમ્બર્સ સહિત વિમાનમાં 13 લોકો સવાર હતા.
The wreckage of the missing #An32 was spotted today 16 Kms North of Lipo, North East of Tato at an approximate elevation of 12000 ft by the #IAF Mi-17 Helicopter undertaking search in the expanded search zone..
— Indian Air Force (@IAF_MCC) June 11, 2019