દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં મોદી માટે 'PM..PM..'ના નારા લાગ્યા

મોદીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી, ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારી, દિલ્હી પ્રદેશના ભાજપના તમામ પદાધિકારી અને દિલ્હીના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે, પાર્ટીના કાર્યાલય ગ્યારાહ અશોકા રોડ પણ તેમનું આટલા પ્રેમથી અને હુંફથી સ્વાગત અને સન્માન કરવામાં આવશે. આવું સ્વાગત અને સન્માન કરવા બદલ હું તમામનો આભાર માનું છું. મારા મનમાં આ ઘટના અંગે એક અદકેરું સ્થાન છે અને તેનુ એક કારણ પણ છે. મે મારા જીવનના 11 વર્ષ આ રોડ પર આ કાર્યાલયમાં વિતાવ્યા છે. નાની અમથી ઓરડીમાં રહીને પાર્ટીએ મને જે કામ અને દાયિત્વ સોંપ્યું તેને મે પૂર્ણ કરવાના તમામ બનતા પ્રયાસો કર્યા.
હું મારા અનુભવથી કહું છું કે, લોકતંત્રની તાકાત અને સંગઠનનું સામર્થ્ય છે કે એક વ્યક્તિ જે કાર્યાલયમાં બેસીને સમય વિતાવતો હતો, પડદા પાછળ રહીને કામ કરતો હતો તેને આજે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે અને એ જ પ્રકારે ભારતના લોકતંત્રનું સામર્થ્ય છે કે લોકતાંત્રિકની પ્રક્રિયા, વોટની તાકાતથી સામાન્ય વ્યક્તિને મોટી જવાબદારી આપે છે. ગુજરાતની જનતાએ મને ફરીથી ચૂંટીને મને આ દાયિત્વ આપ્યું છે.
હું મારા સાથીઓને હિસાબ આપવા માટે અહીં આવ્યો છું
હું તમારો સાથીદાર છું અને તમને હિસાબ આપવા આવ્યો છું. મારી પાસે આજે એ તક છે. હું ત્રીજી વખત સત્તા પર આવ્યો. આજે જ્યારે બે ત્રણ વર્ષ સુધી સરકાર ટકતી નથી ત્યાં ગુજરાતમાં 12 વર્ષ સુધી ભાજપને સત્તા આપીને મારી સરકારને પસંદ કરી છે તે ભાજપના કાર્યકર અને સરકારના કામનો પુરાવો આપે છે. 12 વર્ષના શાસનકાળ દરમિયાન મારી સરકારે જે કામ કર્યું અને પાર્ટીએ જે જવાબદારી સોંપી તેને પૂર્ણ કરવામાં જે પ્રયાસો કર્યા છે તેનાથી આજે દૂનિયામાં ભારતનું નામ રોશન થયું છે, દેશ અને દૂનિયામાં રહેતા અને ભારત માંને પ્રેમ કરનારાઓની છાતી પહોડી થઇ ગઇ છે અને તેમનું માથું ગર્વથી ઉંચુ થઇ ગયું છે.
એક કાર્યકર્તાના નાતે મને જે દાયિત્વ મળ્યું તેને મે પૂર્ણ કર્યું છે અને તેના કારણે આજે લાખો કાર્યકર્તાઓ આંખમાં આંખ મિલાવીને રહી શકે છે. એક સાથી તરીકે તમે મને જે જવાબદારી સોંપી તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાતની જનતાએ તેના પર મહોર લગાવી છે. હું તમને એક વાત કરવા માંગુ છું કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી હતો. હું એ પણ માનું છું કે જનસમાન્યની અપેક્ષા અને આંકાક્ષા વધી છે તેને પૂર્ણ કરવા દરેક પળે જનસમર્પણ સાથે ચાલું રાખ્યું છે. મને ગર્વ છે કે ભાજપને સંતોષ થાય અને ગર્વ અનુભવે તે પ્રમાણે પરિપૂર્ણ થવા પ્રયાસો કર્યા છે.
તમામ ક્ષેત્રે ગુજરાતના શાસનની ચર્ચા થાય છે
આજે તમામ ક્ષેત્રે ગુજરાતના શાસનની ચર્ચા થાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ પ્રદેશ અને પક્ષના પ્રમુખ લોકો સતત ગુજરાત આવતા રહ્યાં છે. સરકાર સાથે બેસીને અધ્યયન કર્યું છે. વિકાસની યોજનાઓનું અધ્યયન કર્યું છે. હું પણ મારા દિલ્હીના મિત્રોને નિમંત્રણ પાઠવું છે કે તેઓ ગુજરાત આવે અને સારો એવો સમય ત્યાં વિતાવે અને જાણે કે ગુજરાતે કયું વિકાસ મોડલ અપનાવ્યું છે, તેને જૂએ અને સમજે અને દિલ્હીમાં તેને અમલી બનાવે. હું આગ્રહ કરીશ કે અમારી કોઇ ક્ષતિ હોય કે અને આપવા યોગ્ય સૂચનો હોય તો અને આપો, જેથી અમે દેશની વધું સેવા કરી શકીએ. ગુજરાત માટે તમારા મનમાં જે યોગ્ય સુજાવ હશે, તેનો હું સ્વાગત કરીશ અને એ બાબતોને કેવી રીતે અમલમાં મુકી શકાય તે અંગે પ્રયત્નો કરીશ.
કેન્દ્ર પર પ્રહાર
આજે હું એનડીસીની બેઠકમાં આવ્યો હતો. દેશનું દુર્ભાગ્ય છે કે દેશમાં નિરાશાનો માહોલ બની રહ્યો છે. જ્યાં મે પ્રધાનમંત્રીને કઠોરતા સાથે કહ્યું કે દેશને આગળ વધારવા પરિક્ષણ, એક્શન પ્લાન નથી, જેના કારણે વિકાસ નીચે જતો રહ્યો છે. એક વર્ષ પહેલા દેશના પ્લાનિગં કમિશન અને નવ ટકાના વિકાસદર માટેનો સંક્લપ કરાયો હતો. પરંતુ તે પાર ના કરી શક્યા અને 7.9 પર અટકી ગયા. આ વખતે તેમણે નવ અંગે વિચારવાનું છોડી દીધું. આ વખતે 8..2 ટકા વિકાસ કરવાની વાત કરી. એટલે કે 0.3 આગળ વધારવા માટે આખો દેશ દિલ્હીમાં એકઠો થયો. આ શું હાલત છે. આજે 11 પ્લસથી ગુજરાત વિકાસદર કરે છે. કૃષિમાં ગુજરાત 10થી નીચે નથી અને તેઓ 3થી આગળ નથી વધતા.
દેશમાં કંઇક થાય છે તો કેટલાક રાજ્યોના પરિશ્રમથી થઇ રહ્યું છે. ઇંદિરા ગાધીની એક યોજના શરૂ કરવામાં આવી હતી. બધી સરકારનો કોન્ટેન્યુ ક્યો દર છ મહિને બહાર પાડવામાં આવતો હતો. જેમાં છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે ગુજરાતનો પ્રથમ નંબર આવે છે. પહેલા પાંચમાં કોંગ્રેસનું એક પણ રાજ્ય નથી અને યુપીએનું એક પણ રાજ્ય નથી. ભારત સરકારે કહ્યું કે, ભારત દર છ મહિનાનો રિપોર્ટ નહીં નિકાળે. કારણ કે તેમની બદનામી થતી હતી. સારું વિચારવું, આગળ વધારવું તે કરતા નથી. કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
