Parliament : રાજ્યસભામાં પીએમ મોદીનુ 1 કલાક 35 મિનિટનુ ભાષણ, વિપક્ષનું વોકઆઉટ
સંસદના બજેટ સત્રના સાતમા દિવસે રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.
પીએમ મોદીના 1 કલાક અને 35 મિનિટ લાંબા ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરીને સદનમાંથી વૉકઆઉટ કર્યો હોવા છતાં પીએમનું સંબોધન ચાલુ રહ્યું હતું. વિપક્ષના વૉકઆઉટ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો થાકી ગયા તે મેદાન છોડી ગયા, પરંતુ જનતાને ક્યારેક તો જવાબ આપવો જ પડશે.

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે અગાઉ દેશની અર્થવ્યવસ્થા અત્યંત નબળી હતી, જેને તેમની સરકારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે.
તેમણે દાવો કર્યો હતો કે ભારત અત્યારે ઝડપી ગતિ અને નીચા ફુગાવા સાથે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ત્રીજી આર્થિક સત્તા બનશે. પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરતા પીએમએ કહ્યું કે કોંગ્રેસે પીએમ પદને જાગીર માની હતી અને તેઓ પોતાના 'ઘરના સ્ટાર્ટઅપ'ને પણ સફળ બનાવી શક્યા નથી.
વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા વિવાદાસ્પદ નારા પર પીએમએ પલટવાર કરતા કહ્યું કે નફરત ફેલાવનારા લોકો જ કોઈ નાગરિકની કબર ખોદવાની વાતો કરી શકે છે.
તેમણે વ્યંગમાં ઉમેર્યું કે હું દરરોજ બે કિલો ગાળો ખાઉં છું અને વિપક્ષની આ ગાળો જ મારી તંદુરસ્તીનું અસલી રહસ્ય છે તેમ કહી કટાક્ષ કર્યો હતો. પીએમએ સ્પષ્ટ કર્યું કે તેમનું લક્ષ્ય માત્ર આગામી ચૂંટણી જીતવાનું નથી પરંતુ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું મોટું વિઝન છે.
સરકારની સિદ્ધિઓ ગણાવતા પીએમએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે અને કરોડોને પાકા મકાનો આપ્યા છે. ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર મક્કમ છે જેથી ભવિષ્યમાં કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. બેન્કિંગ સુધારા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે 2014 પહેલા ફોન કોલ પર લોન અપાતી હતી, પરંતુ આજે NPA એક ટકાથી પણ નીચે આવી ગયો છે.
લોકસભામાં પણ વિપક્ષી હોબાળાને કારણે કાર્યવાહી અનેકવાર અટકાવવી પડી હતી અને સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના વર્તનને સંસદીય ઈતિહાસનો 'કાળો ધબ્બો' ગણાવ્યો હતો.
સ્પીકરે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની મહિલા સાંસદોએ પીએમની ખુરશીને ઘેરી હતી અને કાગળો ફેંક્યા હતા, જે સંસદની ગરિમા વિરુદ્ધની અત્યંત ગંભીર ઘટના છે. ભારે ધાંધલ-ધમાલ અને સૂત્રોચ્ચાર વચ્ચે આખરે આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરાઈ હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
