7 RCR ટૂ એરપોર્ટઃ મોદી માટે બનશે ખાસ ટનલ
નવી દિલ્હી, 30 મેઃ બની શકે છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોતાના ઘરેથી સફદરજંગ એરપોર્ટ જવા માટે નિકળે તો તેઓ એક ખાસ ટનલમાંથી પસાર થશે. જીહાં, 7 રેસ કોર્સ રોડ સ્થિત વડાપ્રધાન આવાસથી લઇને સફદરજંગ એરપોર્ટ સુધી એક ખાસ ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલનો ઉપયોગ કરનારા નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન બનશે.
આ ટનલનો હેતુ પીએમની સુરક્ષાની સાથોસાથ વીઆઇપી મુવમેન્ટ દરમિયાન તેમને ભીડભાડથી બચાવવા છે. આ ટનલનો એક ફાયદો એ પણ છેકે વીવીઆઇપી મુવમેન્ટ સમયે આ રૂટ પર ટ્રાફિક ડાયવર્જન પણ નહીં કરવું પડે. ઇમરજન્સી સમયે પણ પીએમ આવાસતી નરેન્દ્ર મોદીને બહાર જવા માટે આ ટનલ ઘણી કારગર સાબિત થઇ શકે છે. એટલે કે જો પીએમ આવાસ પર હુમલો થાય અથવા તો કોઇ આપદા આવે તો નરેન્દ્ર મોદી સુરક્ષિત એરપોર્ટ પહોંચી શકે છે. ટનલ બનાવ્યા બાદ 7 આરસીઆરથી એરપોર્ટ સુધી માત્ર બે કે ત્રણ મીનિટમાં જ પહોંચી શકાશે.
સફદરજંગ એરપોર્ટ વીવીઆઇપી મુવમેન્ટ માટે ઘણું ખાસ છે. પીએમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને એસપીજી સુરક્ષા મેળવેલા વીવીઆઇપી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા માટે સફદરજંગ એરપોર્ટનો ઉપયોગ કરે છે. આ ટનલ કમાલ અતાતુર્ક માર્ગ, ગોલ્ફ કોર્સ અને સફદરજંગ હોસ્પિટલથી થઇને સફદરજંગ સ્થિત હેલિકોપ્ટર હેંદર પાસે ખતમ થાય છે.