3 મોટા ફેરફાર સાથે આજે રાજ્યસભામાં રજૂ થશે ત્રણ તલાક બિલ
કેન્દ્ર સરકાર બહુચર્ચિત ત્રણ તલાક બિલને આજે રાજ્યસભામાં રજૂ કરશે. આ બિલને કેબિનેટે પાસ કરી દીધુ છે. જેની ખરી પરીક્ષા આજે રાજ્યસભામાં થવાની છે.
કેન્દ્ર સરકાર બહુચર્ચિત ત્રણ તલાક બિલને આજે રાજ્યસભામાં રજૂ કરશે. આ બિલને કેબિનેટે પાસ કરી દીધુ છે. જેની ખરી પરીક્ષા આજે રાજ્યસભામાં થવાની છે. આ બિલમાં કેટલાક સુધારા કેબિનેટે પાસ કરી દીધા છે ત્યારબાદ આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી રહ્યુ છે. ગુરુવારે કેબિનેટે આ બિલમાં પ્રસ્તાવિત ત્રણ સુધારાને સ્વીકારી લીધા હતા. આ બિલ પાસ કરાયા પહેલા ભાજપે પોતાના બધા રાજ્યસભા સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કર્યુ છે.
હવે નહિ રહે બિનજામીનપાત્ર ગુનો
જે રીતે આ બિલ અંગે વિરોધ થયો હતો ત્યારબાદ સરકારે નરમ વલણ અપનાવયા બિલમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ આમાં ફેરફાર કરવામાં આવી શકે છે. સુધારા બાદ હવે ત્રણ તલાક બિનજામીનપાત્ર ગુનો નહિ રહે. હવે આ કેસમાં જામીન આપી શકાશે અને પતિ તેમજ પત્ની સામે સમજૂતીનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. માટે હવે ત્રણ તલાક આપનારને સીધેસીધુ ત્વરિત જેલ નહિ જવુ પડે.
કોઈ પણ નહિ કરી શકે ફરિયાદ
મૂળ બિલમાં કોઈ પડોશીને પણ એ વાતનો અધિકાર હતો કે તે ત્રણ તલાકની ફરિયાદ કરી શકતા હતા પરંતુ તેને હવે માત્ર પત્ની અને લોહીના સંબંધી સુધી સીમિત કરી દીધુ છે. આ બિલમાં ત્રીજો મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે ત્રણ તલાક મામલે ગુનાહિત પ્રક્રિયા શરૂ થતા પહેલા સમજૂતીનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવશે. એટલે કે પતિ અને પત્ની ઈચ્છે તો મેજિસ્ટ્રેટ સામે સમજૂતી કરીને ત્રણ તલાકને ખતમ કરી શકે છે.
કાયદા મંત્રીએ વ્યક્ત કરી આશા
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે એ વાતની આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ નેતા અને સોનિયા ગાંધી આ બિલ પાસ કરાવવામાં તેમની મદદ કરશે. મહત્વની વાત એ છે કે આ બિલને લોકસભા પહેલેથી જ પાસ કરી ચૂકી છે પરંતુ રાજ્યસભામાં આની કેટલીક જોગવાઈઓ અંગે વિપક્ષે આનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આમાં સુધારાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ છેવટે સુધારા સાથે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.