મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન
મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2015ના રોજ લાલ કિલ્લા પરથી વચન આપ્યું હતું કે દેશના દરેક ગામોમાં 1000 દિવસમાં વીજળી પહોંચાડવામાં આવશે. જ્યારે મણિપુરના નાના એવા ગામ લીસાંગને 28મી એપ્રિલ 2018ના રોજ વિદ્યુતીકૃત કરવામાં આવ્યું ત્યારે મોદી સરકારે આ વચનને સમય પહેલા પૂરું કરી લીધું. સરકારે ગ્રામીણ ભારતના 100 ટકા વિદ્યુતીકરણનો લક્ષ્ય 988 દિવસમાં પૂરો કર્યો. ગામોનું વિદ્યુતીકરણ પીએમ મોદીના નક્કી કરેલ લક્ષ્યમાં સૌથી ઉપર હતું.

પીએમ મોદીના આ મહત્વપૂર્ણ વાયદાએ એમને સત્તાના શિખર પર પહોંચાડી દીધા હતા. પીએમ મોદીએ 2014ના આખા ચૂંટણી અભિયાનમાં વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન પર ફોકસ કર્યું હતું. પીએમ મોદીએ 28મી એપ્રિલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 28મી એપ્રિલ 2018ને ભરતની વિકાસ યાત્રામાં એક ઐતિહાસિક દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે. કાલે અમે એક વાયદો પૂરો કર્યો જેને કારણે અનેક ભારતીયોના જીવનમાં હંમેશા માટે બદલાવ આવી જશે. મને એ વાતની ખુશી છે કે હવે ભારતના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઈ છે.
1947માં ભારતની આઝાદીના સમયે માત્ર 1500 ગામનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ 1991માં આ સંખ્યા 4,81,124 થઈ ગઈ હતી. વીજળી મંત્રાલયના રિપોર્ટ મુજબ, 5,97,464 ગામમાંથી 5,97,464 ગામ (100%) હવે વિદ્યુતીકૃત થઈ ગયા છે. જો કે આનો મતલબ એ નથી કે 100 ટકા ઘર વિદ્યુતિકૃત છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયની પરિભાષા અનુસાર કોઈ ગામના 10 ટકા પરિવારોએ વીજળી કનેક્શન લીધું હોય અથવા તો સ્કૂલ, પંચાયત કાર્યાલય, સ્વાસ્થ્ય કેન્દ્રો અને સામુદાયિક કેન્દ્રો જેવા સાર્વજનિક સ્થળોએ વીજળી ઉપલ્ધ કરાવવામાં આવે તો એ એક ગામને વિદ્યુતીકૃત કહેવામાં આવે છે. છતાં આ ગામને 100 ટકા વિદ્યુતીકરણ ન કહી શકાય.
ગામોના વિદ્યુતીકરણથી ભારતને પાવર સપ્લસ દેશ બનાવવા માટે બીજેપી સરકાર અંતર્ગત વીજળી મંત્રાલયના પ્રયાસ અવિશ્વસનીય રહ્યા છે. એ કહેવું ખોટું નહી હોય કે વીજળી મંત્રાલય મોદી સરકારના મુખ્ય પ્રદર્શન મંત્રાલયોમાનું એક રહ્યું છે. ભાજપ સરકાર મુજબ, ભારત ઈતિહાસમાં પહેલી વાર એખ પાવર સરપ્લસ દેશ બની ગયો છે. આ ઉપલબ્ધી વીજળીથીસ સંબંધિત વિભિન્ન્ મંત્રાલયો, પાવર, કોલસા અને નવા નવીનીકરણની વચ્ચે તાલમેલ પેદા કરી અને એક-બીજાની સાથે મળીને કામ કરવા પર મળી છે.
આ પણ વાંચો- #Self4Socity: પીએમ મોદીએ લૉન્ચ કર્યું 'મે નહિ હમ' પોર્ટલ એપ
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
