કોંગ્રેસની રસ્સી સળગી ગઇ પણ અકડ ના ગઇ : રામદેવ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર્યા બાદ પણ કોંગ્રેસી તર્ક આપી રહ્યાં છે કે નરેદ્ર મોદી જેટલી સીટોનો દાવો કરતાં હતાં કે ક્યાંય છે? કોંગ્રેસ એ વાતથી ખુશ છે કે નરેન્દ્ર મોદીને 2007માં મળેલી 117 સીટો કરતાં બે સીટો ઓછી છે. કોંગ્રેસ નેતા દર વખતે ટીવી ચેનલ પર તર્ક આપી રહ્યાં છે કે ભાઇ ક્યાં છે બે તૃત્રિયાંશ બહુમતી. જેનો નરેન્દ્ર મોદી સહિત દરેક એક્ઝિટ પોલ કરી રહ્યો છે.
કોંગ્રેસને એ વાતની રાહત મળી છે કે ગુજરાતમાં જ્યાં-જ્યાં રાહુલ ગાંધીએ ચુંટણી સભાઓ કરી હતી ત્યાં-ત્યાં તેમની પાર્ટીને જનાધાર મળ્યો છે, આ વાત પર બાબા રામદેવે કહ્યું હતું કે જ્યારે રાહુલ બાબા જ કોંગ્રેસની નાવડી પાર લગાડી રહ્યાં હતા તો તેમને આખા ગુજરાતનો પ્રવાસ કેમ ન કર્યો, ચુંટણી સભાઓ કેમ ન યોજી? અરે કોઇપણ કિંમતે રાહુલ ગાંધીની તુલના નરેન્દ્ર મોદી સાથે થઇ ન શકે. રાહુલ ગાંધી એક અપરિપક્વ માણસ છે.