દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદી છે નરેન્દ્ર મોદી : બેની પ્રસાદ વર્મા
બેની પ્રસાદ વર્માએ સોમવારે પોતાના નિવાસસ્થાને મીડિયા સાથેની એક વાતચીતમાં આમ જણાવ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ જેવા યુવાન નેતાના હાથમાં કોંગ્રેસની કમાન સૌંપવાથી દેશને મોટો લાભ મળશે. રાહુલ ગાંધીમાં દેશને આગળ ચલાવવાની તાકાત અને લાયકાત બંને છે. આવનારા સમયમાં રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરશે. તેમણે રાહુલ ગાંધીના ભાષણના પણ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આવું ભાષણ મેં મારા જીવનમાં અત્યાર સુધી નથી સાંભળ્યું.
તેમણે આગળ જણાવ્યું કે જિંદગીના આ પડાવ પર હું કોંગ્રેસનો હિસ્સો બનીને સ્વયંને ભાગ્યશાળી સમજું છું. ત્યારબાદ તેમણે ભાજ પર તીક્ષ્ણ હુમલો કરતા જણાવ્યું તે ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેએ જે કહ્યું છે તેનું હું સમર્થન કરું છું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે ભાજપ અને સંઘની શિબિરોમાં હિન્દુ આતંકવાદની તાલીમ આપવામાં આવે છે.