મોદી આચારસંહિતા ભંગ કેસ : ટીવી રિપોર્ટર્સને પોલીસનું સમન
અમદાવાદ, 4 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં 30 એપ્રિલે મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ ભાજપના ચૂંટણી ચિહ્ન કમળ સાથે સંબોધન અને સેલ્ફી ખેંચીને કરેલા કથિત આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં અમદાવાદ પોલીસે કાર્યવાહી આરંભી છે. આ મુદ્દે કેટલીક ટેલિવિઝન ચેનલના પ્રતિનિધિઓને પૂછપરછ અને નિવેદનો નોંધાવવા માટે સમન પાઠવ્યા છે.
અમદાવાદના રાણીપ મતવિસ્તરમાં એક બૂથ પર મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પાર્ટી ચિહ્ન કમળને દર્શાવીને વિવાદ સર્જયો હતો. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે રાષ્ટ્રીય સમાચાર ચેનલોના અમદાવાદ સ્થિત બ્યુરોએ પોલીસના સમનની વાતને પુષ્ટિ આપી છે. આ સમન્સ પોલીસે ઇમેઇલ દ્વારા પાઠવ્યા છે. આ સમન્સ ચૂંટણી પંચના આદેશને પગલે પોલીસે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 126(1)(A)ના ઉલ્લંઘનનો કેસ એફઆઇઆરમાં નોંધીને શરૂ કરી છે. આ કલમ મુજબ મતદાન બૂથના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધી શકતો નથી.
આ મુદ્દે કોંગ્રેસ ઉપરાંત જેડીયુએ પણ મોદીની તાત્કાલિક ધરપકડ કરીને તેમને વડોદરા અને વારાણસીમાં ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગણી કરી છે. આ ઉપરાંત ટીવી ચેનલ્સ સામે પણ આ પ્રેસ કોન્ફરન્સ પ્રસારિત કરવા બદલ જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ











Click it and Unblock the Notifications
