Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યોગી આદિત્યનાથ સામે મોદી-શાહ ઘુંટણીએ, નહીં બદલાય યુપી સીએમ-સુત્રો

યુપીમાં શરમજનક હાર બાદ બીજેપીમાં સળગેલો દાવાનળ શમી રહ્યો હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, હાલ પુરતી યુપીના સીએમ બદલવાની યોજના પડતી મુકાઈ છે.

સમાચારો અનુસાર, યુપીમાં યોગીનો દબદબો યથાવત છે. ભાજપ સંગઠન અને યોગી સરકાર વચ્ચે તણાવનો એપિસોડ સમાપ્ત થઈ ગયો છે. યોગી આદિત્યનાથ યુપીના સીએમ રહેશે અને 27મી ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

Yogi Adityanath

યુપીની રાજનીતિમાંથી અન્ય એક મોટા સમાચાર એ છે કે કેન્દ્રીય નેતૃત્વ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના વક્તવ્યથી ખુશ નથી. આ સ્થિતિમાં આજે તેમને પાર્ટી ફોરમમાં જ બોલવાની સૂચના આપવામાં આવી છે.

અહેવાલો અનુસાર, કેન્દ્રીય નેતૃત્વ બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકના કામ પર પણ મંથન કરી રહ્યું છે. સૂત્રો જણાવ્યા અનુસાર બંને અંગે નિર્ણય હવે પછી લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે શુક્રવારે જયપુરમાં ભૂપેન્દ્ર ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે યુપીમાં ચહેરો બદલવાની કોઈ તક નથી.

સરકાર અને સંગઠન વચ્ચે ચાલી રહેલ ઝઘડો ત્યારે સામે આવ્યો જ્યારે સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદે 15 જુલાઈએ વર્કિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ મંતવ્યો રાખ્યા હતા.

સીએમ યોગીએ બધાને સાથે મળીને આગળ વધવાનું કહ્યું તો કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સરકાર કરતા સંગઠન મોટું છે. જ્યારે સીએમ યોગીએ બેકફૂટ પર ન આવવાની વાત કરી તો મૌર્યએ કહ્યું કે સંગઠન હતું અને હંમેશા રહેશે.

આ પછી યોગીએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે સહેજ પણ નુકસાન થયુ તો બધાને અસર થશે. યુપીના નેતાઓને દિલ્હીમાં એકસાથે બેસાડીને સ્પષ્ટ કરી દીધું છે કે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે. વિરોધાભાસી નિવેદનો ન કરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X