Monsoon Forecast : આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે? જાણો શું કહ્યું હવામાન વિભાગે?
આવનારા ચોમાસાને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ આ મુદ્દે વાત કરી છે.
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે કહ્યું કે, આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. જે દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે.

હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડશે અને સમગ્ર દેશમાં સરેરાશ 87 સેમી વરસાદ નોંધાશે.
તેમણે કહ્યું કે, 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થયો છે, જ્યારે લા નીના પછી અલ નીનોની સ્થિતિ હતી.
મૃત્યુંજય મહાપાત્રાએ આ વર્ષના દક્ષિણપશ્ચિમ ચોમાસાની પ્રથમ આગાહી જાહેર કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, 1971 થી 2020 સુધીના વરસાદના આંકડા અનુસાર, અમે નવી લાંબા ગાળાની સરેરાશ અને સામાન્ય આગાહી રજૂ કરી છે. આ મુજબ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં સરેરાશ કુલ વરસાદ 87 સેમી રહેશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની લાંબા ગાળાની આગાહી આપતા તેમણે કહ્યું કે, ચોમાસાની મોસમ સામાન્ય કરતાં વધુ એટલે કે 106% વરસાદ પડવાની ધારણા છે. હવામાન વિભાગના મતે 2024માં 106 ટકા એટલે કે 87 સેમી વરસાદ પડી શકે છે.
હાલમાં વિષુવવૃત્તીય પેસિફિક ક્ષેત્રમાં મધ્યમ અલ નીનો સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે તાજેતરની મોનસૂન મિશન ક્લાઈમેટ ફોરકાસ્ટ સિસ્ટમ તેમજ અન્ય ક્લાઈમેટ મોડલની આગાહીઓ દર્શાવે છે કે ચોમાસાની સિઝનના પ્રારંભમાં અલ નીનોની સ્થિતિ તટસ્થ અલ નીનો સધર્ન ઓસિલેશન સ્થિતિમાં પરિવર્તિત થશે.
જણાવી દઈએ કે, ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને 1 જૂનની આસપાસ ભારતમાં પ્રવેશે છે, જે 4 મહિનાના વરસા પછી સપ્ટેમ્બરના છેલ્લા મહિનામાં રાજસ્થાન થઈને પરત ફરે છે.












Click it and Unblock the Notifications
