ભારતમાં ચોમાસુ સમયસર આવશે : 48 કલાકમાં કેરળ પહોંચશે
નવી દિલ્હી, 4 જૂન : આ વર્ષે ભારતમાં ચોમાસુ સમરસર આવી પહોંચશે. આશા દર્શાવવામાં આવી રહી છે કે આવનારા 48 કલાકમાં ચોમાસુ કેરળ પહોંચી જશે. આ માહિતી દેશના હવામાન વિભાગે આપી છે. આ માહિતી આપવાની સાથે હવામાન વિભાગે ખુશી દર્શાવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગામી 48 કલાકમાં કેરળ પહોંચવાની શક્યતા છે. આ માટે દક્ષિણ અરબ સાગર, માલજીવ-કોમોરિનના કેટલાક વિસ્તારો, તમિલનાડુના કેટલાક ભાગો અને બંગાળની ખાડી સહિતના વિસ્તારોમાં ચોમાસાને આગળ વધવાની અનુકૂળતા હોવાનું કહેવામાં આવ્યું છે.

બધું જ સમયસર રહ્યું તો આ વર્ષે ચોમાસુ સારું જવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આવનારા 72 કલાકમાં પૂર્વોત્તર રાજ્યોના કેટલાક હિસ્સાઓમાં વરસાદ પહોંચી જશે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધવા માટે અનુકૂળ છે. મોસમ વિભાગ અનુસાર કેરળમાં 5 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે.
આ ઉપરાંત વરસાદ ઓડિશા, અસમ, કોંકણ અને ગોવા જેવા કિનારાવાળા વિસ્તારોમાં, કર્ણાટકમાં અને દક્ષિણ કેરળમાં ગડગડાટ સાથે છાંટા પડી શકે છે. સામાન્ય અને સામાન્યથી વધારે ચાર વર્ષ બાદ ભારતમાં આ વર્ષે ચોમાસુ ઓછું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. એક અનુમાન અનુસાર આ વર્ષે દેશમાં 95 ટકા વરસાદ પડશે. જેના પરિણામે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓ જણાવે છે કે અલનીનોની શક્યતાને કારણે પણ ચોમાસુ નબળું રહેવાની શક્યતા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
