ભારતમાં ચોમાસુ સમયસર આવશે : 48 કલાકમાં કેરળ પહોંચશે
નવી દિલ્હી, 4 જૂન : આ વર્ષે ભારતમાં ચોમાસુ સમરસર આવી પહોંચશે. આશા દર્શાવવામાં આવી રહી છે કે આવનારા 48 કલાકમાં ચોમાસુ કેરળ પહોંચી જશે. આ માહિતી દેશના હવામાન વિભાગે આપી છે. આ માહિતી આપવાની સાથે હવામાન વિભાગે ખુશી દર્શાવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગામી 48 કલાકમાં કેરળ પહોંચવાની શક્યતા છે. આ માટે દક્ષિણ અરબ સાગર, માલજીવ-કોમોરિનના કેટલાક વિસ્તારો, તમિલનાડુના કેટલાક ભાગો અને બંગાળની ખાડી સહિતના વિસ્તારોમાં ચોમાસાને આગળ વધવાની અનુકૂળતા હોવાનું કહેવામાં આવ્યું છે.
બધું જ સમયસર રહ્યું તો આ વર્ષે ચોમાસુ સારું જવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આવનારા 72 કલાકમાં પૂર્વોત્તર રાજ્યોના કેટલાક હિસ્સાઓમાં વરસાદ પહોંચી જશે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધવા માટે અનુકૂળ છે. મોસમ વિભાગ અનુસાર કેરળમાં 5 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે.
આ ઉપરાંત વરસાદ ઓડિશા, અસમ, કોંકણ અને ગોવા જેવા કિનારાવાળા વિસ્તારોમાં, કર્ણાટકમાં અને દક્ષિણ કેરળમાં ગડગડાટ સાથે છાંટા પડી શકે છે. સામાન્ય અને સામાન્યથી વધારે ચાર વર્ષ બાદ ભારતમાં આ વર્ષે ચોમાસુ ઓછું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. એક અનુમાન અનુસાર આ વર્ષે દેશમાં 95 ટકા વરસાદ પડશે. જેના પરિણામે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓ જણાવે છે કે અલનીનોની શક્યતાને કારણે પણ ચોમાસુ નબળું રહેવાની શક્યતા છે.