હજુ તો ચોરોના વધુ ખજાના શોધવાના બાકી છે, વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત
Lok sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ગિરિડીહના પેશમમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને જેએમએમના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
INDI ગઠબંધનના નેતાઓ અને તેમની સાથે સંકળાયેલા લોકોના ઘરો પર તાજેતરના રેડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે. વધુ ચોરીના ખજાનાઓ શોધવાના બાકી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું ચોરોને શાંતિથી સૂવા નહીં દઉં, અને ચોરીના પૈસાથી ભરેલી તેમની તિજોરી ખાલી કરીશ, આ મોદીની ગેરંટી છે.
જેએમએમ, કોંગ્રેસ અને સમગ્ર INDI ગઠબંધન ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનું મોડેલ છે. લોકોને યોગ્ય ઉમેદવાર પસંદ કરવા અને સારી સરકાર બનાવવાની અપીલ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નબળી સરકારો દેશનું ભલું કરી શકતી નથી.
શ્રીનગરમાં દાયકાઓ પછી લોકશાહીની ઉજવણી : વડાપ્રધાન - વડાપ્રધાન મોદી એમ પણ જણાવ્યું હતું કે, દેશ અને દેશવાસીઓને આગળ લઈ જવા માટે એક મજબૂત સરકારની જરૂર છે.
નક્સલવાદનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારોએ દેશને નક્સલવાદની આગમાં ધકેલી દીધો અને ડાબેરીઓએ પણ તેમાં રોટલો શેક્યો. ભાજપ સરકારે દેશના મોટા ભાગને નક્સલવાદથી મુક્ત કરાવ્યો. ઝારખંડને ફરીથી નક્સલવાદનો ગઢ બનવા દેવામાં આવશે નહીં.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જે રીતે શ્રીનગરમાં દાયકાઓ પછી લોકશાહીની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ ત્યાં મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તે કલમ 370 હટાવવાને કારણે શક્ય બન્યું છે.

હું દેશને ભત્રીજાવાદથી મુક્ત કરાવીશ: વડાપ્રધાન મોદી - વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું કહી રહ્યો છું કે, હું દેશને ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને ભત્રીજાવાદથી મુક્ત કરાવીશ.
ઝારખંડ એક સમૃદ્ધ રાજ્ય છે, પરંતુ અગાઉ કેન્દ્રની નબળી નીતિઓને કારણે અહીંના પૈસા દિલ્હીમાં બેઠેલા લોકો લૂંટી રહ્યા હતા. મેં સત્તામાં આવ્યા પછી નવી નીતિ બનાવી છે.
DMFT હેઠળ, અત્યાર સુધીમાં ઝારખંડને 12 હજાર કરોડ રૂપિયા અને કોડરમા અને ગિરિડીહને લગભગ 60 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ખનિજ સંપત્તિ ધરાવતા વિસ્તારનો એક ભાગ સંબંધિત જિલ્લાને આપવામાં આવશે.
બગોદર વિધાનસભા ક્ષેત્રના બિરણી બ્લોકના અદ્વાર મેદાનમાં એકઠી થયેલી વિશાળ ભીડને સંબોધતા વડાપ્રધાને મતદારોને જણાવ્યું હતું કે, મોદી તમારા વડાપ્રધાન છે, અને મોદી તમારા સાંસદ પણ છે. તેથી ભાજપ અને સહયોગી પક્ષોના ઉમેદવારોને મત આપતી વખતે માની લો કે તમારો મત મોદીને મજબૂત કરી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે હું આટલું કામ કરી રહ્યો છું, ત્યારે જેએમએમ અને કોંગ્રેસના લોકો પરેશાન છે. કોડરમાના એક નેતાએ મને ગોળી મારવાની વાત કરી છે. તેઓ મોદીને કબર ખોદવાનું કહી રહ્યા છે, પરંતુ આ ભીડ મારી સુરક્ષા કવચ છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
