સાસુને વહુ પર શંકા રહેતી હતી, તાંત્રિકના કહેવા પર બંને હાથ સળગાવી દીધા
સાસુ અને વહુની તકરારના કિસ્સા આખી દુનિયામાં ફેમસ છે. ટીવી કરતા પણ વધારે રિયલ લાઈફમાં સાસુ અને વહુની લડાઈ જોવા મળતી હોય છે.
સાસુ અને વહુની તકરારના કિસ્સા આખી દુનિયામાં ફેમસ છે. ટીવી કરતા પણ વધારે રિયલ લાઈફમાં સાસુ અને વહુની લડાઈ જોવા મળતી હોય છે. યુપીના મથુરામાં સાસુ-વહુની લડાઈનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમે સાંભળ્યો પણ નહીં હોય. અહીં સાસુને પોતાની વહુ પર શંકા એટલી બધી વધી કે તેને વહુની કઠિન પરીક્ષા લેવા માટે તેના હાથો પર ચૂલાની આગ રાખી દીધી. સાસુને પોતાની વહુની આવી પરીક્ષા લેવા માટે એક તાંત્રિક બાબાએ કહ્યું હતું.

આ આખી ઘટના 19 ઓક્ટોબરની છે. આ ઘટના પછી વહુના હાથ ખુબ જ ખરાબ રીતે સળગી ગયા છે. વહુનો આરોપ છે કે હાથ સળગ્યા પછી સાસરી વાળાએ તેને ઘરની બહાર કરી દીધી. જયારે પીડિતાના પિતાએ સાસરી પક્ષ સામે ફરિયાદ પણ નોંધાવી છે. ખરેખર બનમારીના દીકરા જયવીર અને યશવીરના લગ્ન કિશન સિંહની દીકરી સુમાની અને પુષ્પા સાથે થયા હતા. એક જ ઘરમાં બે લગ્ન થયા પછી સાસુને સુમાની પર કોઈ વાતને લઈને શંકા હતી. શંકા દૂર કરવા માટે સાસુ એક તાંત્રિક પાસે ગઈ.
શંકા દૂર કરવા માટે તાંત્રિકે વહુના હાથ પર ચૂલાની આગ રાખવા માટે કહ્યું. તાંત્રિકે કહ્યું હતું કે જો હાથ સળગી જાય તો શંકા પાક્કી છે અને જો હાથ ના સળગે તો કઈ જ નથી. તાંત્રિકની વાત માની સાસુએ વહુના હાથ પર ચૂલાની આગ મૂકી દીધી. વહુના હાથ સળગી ગયા અને તેનાથી સાસુની શંકા પાક્કી થઇ ગઈ. ત્યારપછી સાસરી પક્ષે વહુને ઘરની બહાર કાઢી મૂકી. આ ઘટના પછી પીડિતાના પિતાએ પોલીસમાં 6 લોકો પર કેસ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
