For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમ સિંહ PMના ઘરમાં ઝાડું મારવાને પણ લાયક નથી: બેની

|
Google Oneindia Gujarati News

beni prasad verma
ફૈઝાબાદ/નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ એકવાર ફરી મુલાયમ સિંહ યાદવને લઇને વિવાદિત ટિપ્પણી કરીને હલચલ મચાવી દીધી છે. ક્યારેક નજીકના દોસ્ત રહી ચૂકેલા મુલાયમ સિંહ માટે બેનીએ એવું કહી દીધું કે મુલાયમ સિંહ તો પ્રધાનમંત્રીના ઘરની બહાર ઝાડું લગાવવા પણ લાયક નથી. બેની પ્રસાદના આ નિવેદન પર બંને પાર્ટીઓમાં ઘર્ષણોના સંકેતો મળી રહ્યા છે.

બેનીએ જણાવ્યું કે મુલાયમ પ્રધાનમંત્રી બનવાનું સપનું સેવી રહ્યા છે, પરંતુ પહેલા તેમણે પ્રધાનમંત્રીના ઘરની બહાર સફાઇ કરનારાની નોકરી માટે કોશિશ કરવી જોઇએ. 77 વર્ષના બેનીએ ફૈસાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. બેનીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી ખોટી અને છેતરપીંડી પર આધારીત પાર્ટી છે અને તેને કોંગ્રેસ જ ખતમ કરશે. જ્યારે કોંગ્રેસે બેનીના નિવેદનથી છેડો ફાડતા તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવ્યું.

કભી સપામાં રહી ચૂકેલા બેની પ્રસાસ મુલાયમથી એટલા નારાજ છે કે તેઓ હંમેશા તેમની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા રહે છે. આ પહેલા તે સપાને આતંકવાદીઓની સમર્થક પાર્ટી ગણાવી હતી, જેના પર પણ ભારે હોબાળો મચવા પામ્યો હતો, અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમા દખલગીરી કરવી પડી હતી.

મુલાયમના ખૂબ જ નજીક રહી ચૂકેલા બેની વર્મા અમર સિંહના કારણે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. આના પગલે કૂર્મી નેતા વર્માએ 2007માં સપા છોડી દીધી. 2009 લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી જીતીને મંત્રી બની ગયા. પરંતુ મંત્રી બન્યા બાદ પણ તેમણે મુલાયમ પર હુમલો કરવાની કોઇ તક છોડી નહીં.

English summary
Union minister Beni Prasad Verma on Tuesday kicked up another controversy with his barbs at friend-turned foe Mulayam Singh Yadav, saying that the SP chief was not even fit to sweep the Prime Minister's residence, drawing instant rebuke from the Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X