PMએ મુંબઇ એરપોર્ટના નવા ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદઘાટન કર્યું

મુંબઇ, 10 જાન્યુઆરી: છેલ્લા ત્રણ વર્ષથી ઘણીવાર સમયસીમાં ચૂક્યા બાદ અને તેના ખર્ચમાં 32 ટકાનો વધારો થયા બાદ મુંબઇ એરપોર્ટ પર નવું ઇન્ટરનેશનલ ટર્મિનલ (ટી-2) બનીને તૈયાર છે અને શુક્રવારે વડાપ્રધાન મનમોહન સિંહે આનું ઉદઘાટન કર્યું હતું.

જોકે, આ ટર્મિનલથી વાસ્તવિક વિમાન વ્યવહાર ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. આ પહેલા, વિમાન વ્યવહાર આ મહીનાથી શરૂ થવાનું હતું. ટી-2ને 9,800 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યું છે, જ્યારે શરૂઆતી અનુમાનિત ખર્ચ 7,452 કરોડ રૂપિયા હતી. આ ટર્મિનલ હજારો કલાકૃતિઓથી સુસજ્જિત છે અને 3 કિલોમીટર દીવાર પર આ કલાકૃતિઓ ચિતરવામાં આવી છે, જેને દેશભરના 1500 કલાકારોની મદદથી સંગ્રહિત કરવામાં આવી છે.

ઉદઘાટન સમારંભમાં રાકાપાના અધ્યક્ષ અને કૃષિ મંત્રી શરદ પવાર, નાગર વિમાનન મંત્રી અજિત સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ના શ્રેષ્ઠ અધિકારી અને ઉદ્યોગમંત્રી પ્રફુલ્લ પટેલ પણ આ સમારંભમાં હાજરી આપશે. લગભગ 4.39 લાખ વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલા ટર્મિનલ-2ને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એ વર્ષે 4 કરોડ યાત્રિયોનું આવાગમન કરાવી શકે.

અત્યાધુનિક ટી-2 સિંગાપુરના ચાંગી ટી-3 (3.80 લાખ વર્ગ મીટર) અને લંડનના હીથ્રો ટી-5 (3.53 લાખ વર્ગ મીટર)થી પણ મોટું છે. ભારે વ્યસ્તતાના સમયમાં આ ટર્મિનલ 9,900 યાત્રિઓને સંભાળી શકશે.

જુઓ કેવું દેખાય છે મુંબઇનું નવું ટર્મિનલ:

આજે વડાપ્રધાન કરશે ઉદઘાટન

આજે વડાપ્રધાન કરશે ઉદઘાટન

છેલ્લા ત્રણ વર્ષથી ઘણીવાર સમયસીમાં ચૂક્યા બાદ અને તેના ખર્ચમાં 32 ટકાનો વધારો થયા બાદ મુંબઇ એરપોર્ટ પર નવું ઇન્ટરનેશનલ ટર્મિનલ (ટી-2) બનીને તૈયાર છે અને શુક્રવારે વડાપ્રધાન મનમોહન સિંહ આનું ઉદઘાટન કરવા જઇ રહ્યા છે.

ભારતનું સૌથી ઊંચું એટીસી ટાવર

ભારતનું સૌથી ઊંચું એટીસી ટાવર

આ ટર્મિનલથી વાસ્તવિક વિમાન વ્યવહાર ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. આ પહેલા, વિમાન વ્યવહાર આ મહીનાથી શરૂ થવાનું હતું. ટી-2ને 9,800 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યું છે, જ્યારે શરૂઆતી અનુમાનિત ખર્ચ 7,452 કરોડ રૂપિયા હતી.

મુંબઇ એરપોર્ટના એટીસી ટાવર પરથી નજારો

મુંબઇ એરપોર્ટના એટીસી ટાવર પરથી નજારો

લગભગ 4.39 લાખ વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલા ટર્મિનલ-2ને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એ વર્ષે 4 કરોડ યાત્રિયોનું આવાગમન કરાવી શકે.

ટી-2ની અંદરનો નજારો આવો હશે

ટી-2ની અંદરનો નજારો આવો હશે

આ ટર્મિનલ હજારો કલાકૃતિઓથી સુસજ્જિત છે અને 3 કિલોમીટર દીવાર પર આ કલાકૃતિઓ ચિતરવામાં આવી છે, જેને દેશભરના 1500 કલાકારોની મદદથી સંગ્રહિત કરવામાં આવી છે.

નવા ટર્મિનલની બહારનો નજારો

નવા ટર્મિનલની બહારનો નજારો

અત્યાધુનિક ટી-2 સિંગાપુરના ચાંગી ટી-3 (3.80 લાખ વર્ગ મીટર) અને લંડનના હીથ્રો ટી-5 (3.53 લાખ વર્ગ મીટર)થી પણ મોટું છે. ભારે વ્યસ્તતાના સમયમાં આ ટર્મિનલ 9,900 યાત્રિઓને સંભાળી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X