RamRahim : મર્ડર કેસમાં રામ રહીમ પર આજે થશે સુનવણી
ગુરમીત રામ રહીમ પર આજે પંચકૂલામાં હત્યાના કેસમાં સીબીઆઇની વિશેષ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. આ હત્યામાં એક કેસ તેે જ પત્રકારની હત્યાનો છે જેણે બાબાના બળાત્કાર મામલાની પોલ ખોલી હતી.
પંચકૂલામાં આજે સીબીઆઇની વિશેષ કોર્ટમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા ખૂનના કેસમાં જજ પોતાનો ચુકાદો આપશે. નોંધનીય છે કે આજે રામ રહીમ વિરુદ્ધ 2 હત્યાઓ મામલે સુનવણી થશે. આ માટે પોલીસે પહેલાથી જ ચાંપતો બંદોવસ્ત કર્યો છે. આજે જે હત્યાના કેસનો ચુકાદા આવવાનો છે તેમાંથી એક હત્યા તે જ પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની થઇ છે જેણે બાબાની આ બળાત્કારની પોલ ખોલી હતી. અન્ય હત્યાનો કેસ 2002માં કરવામાં આવી હતી. હરિયાણાના ઉચ્ચ ન્યાયાલયે આ મામલે 2003માં સીબીઆઇની વિશેષ તપાસની માંગણી કરી હતી. અને 2007માં સીબીઆઇએ આ કેસમાં આરોપો દાખલ કર્યા હતા.
ત્યારે બે સાધ્વીના બળાત્કારના કેસમાં પહેલાથી જ ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ 20 વર્ષની સજા કાપી રહ્યા છે. ત્યારે જો હત્યાના મામલે પણ તેમને સજા થશે તો તેમની આજીવન જેલ ભેગા રહેવું પડે તેવું પણ બની શકે છે. જો કે બળાત્કારના કેસ પછી જે રીતે તોફાનો થયા તે જોતા હરિયાણા પોલીસે પહેલાથી જ ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે હાલ તો તમામ લોકોની નજર આ આવનારા નિર્ણય પર છે.