નાગપુર: ભાજપ કાર્યકર્તા સહીત તેના પરિવારમાં ચાર લોકોની હત્યા
મહારાષ્ટ્રના નાગપુરમાં કંપારી છોડાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ભાજપા કાર્યકર્તા કમલાકાર પવનકર સહીત પરિવારના ચાર બીજા લોકોની હત્યા કરી નાખવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં કંપારી છોડાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ભાજપા કાર્યકર્તા કમલાકાર પવનકર સહીત પરિવારના ચાર બીજા લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટના રવિવારે મોડી રાતની જણાવવામાં આવી રહી છે. આ ઘટના પછી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ત્યાં પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના નાગપુરના આરાધ્યા નગરમાં થયી છે. અહીં ભાજપા નેતા કમલાકાર પવનકર અને તેમની પત્ની પરિવાર સાથે ઘરમાં સુઈ રહ્યા હતા. ત્યારે જ મોડી રાત્રે હુમલાખોરો ઘરમાં આવ્યા અને એક પછી એક કમલાકાર પવનકર, તેમની પત્ની, માં, દીકરી અને ભત્રીજાને મારી નાખ્યા.
આ આખા હુમલામાં કમલાકાર પવનકરની નાની દીકરી અને ભત્રીજી વૈષ્ણવી બચી ગયી છે. ખરેખર બંને બીજા પલંગ પર સુઈ રહ્યા હતા એટલા માટે હુમલાખોરોનું તેમની તરફ ધ્યાન ગયું નહીં. ઘરમાં ઘૂસીને આ રીતે ભાજપા નેતા અને તેના પરિવારને મારી નાખવાની ઘટના પછી આખા વિસ્તારમાં ભયનો માહોલ છે. જયારે તેની સાથે સાથે શહેરનો કાનૂન વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

નજીકના વ્યક્તિનો હાથ હોય શકે છે
પોલીસનું માનીયે તો આખી ઘટનાને લૂંટના ઈરાદાથી અંઝામ આપવામાં આવ્યો છે, તેમાં ભાજપા નેતાના કોઈ નજીકના વ્યક્તિનો હાથ હોઈ શકે છે. કમલાકાર પવનકર પોતાના પરિવારની સાથે સાથે પોતાની ભાણી અને ભત્રીજાનો પણ ખર્ચો ઉઠાવી રહ્યા હતા. હત્યાકાંડમાં જે ભત્રીજાની મૌત થયી તેની નામ કૃષ્ણા જણાવવામાં આવી રહ્યું છે. ઘટના પછી ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘ્વારા પણ જાંચ કરવામાં આવી હતી. પરંતુ હત્યારાઓ વિશે કોઈ જ પુરાવા મળ્યા નથી.












Click it and Unblock the Notifications
