UPSC પાસ કરનાર મૌલાના શાહિદે મસ્જિદ, મદરસા અને ધર્મ વિશે કહી મોટી વાત
મદરસામાંથી અભ્યાસ કરેલા એક મૌલાનાએ પણ દેશના સૌથી મોટી પરીક્ષાને પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનો રસ્તો સાફ કર્યો છે.
રાજકીય નિવેદનબાજીમાં હંમેશા મદરસા પર હંમેશા આંગળી ચીંધવામાં આવતી હોય છે. ક્યારેક તેને રાષ્ટ્ર વિરોધી શિક્ષણનો અડ્ડો કહેવામાં આવે છે તો ક્યારેક આતંકની નર્સરી. અહીં સુધી કે મદરસાને લવ જેહાદની પાઠશાલા સુધી કહેવામાં કહેવામાં આવી રહી છે પરંતુ હાલમાં જાહેર થયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોએ આવુ કહેવા કે પછી વિચારનારાઓને આકરો જવાબ આપી દીધો છે. મદરસામાંથી અભ્યાસ કરેલા એક મૌલાનાએ પણ દેશના સૌથી મોટી પરીક્ષાને પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનો રસ્તો સાફ કર્યો છે. મૌલાના રઝા ખાને સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) 2018ની ઑલ ઈન્ડિયા રેંકિંગમાં 751મું સ્થાન મેળવ્યુ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને શાહિદે પોતાના વિચાર તેમજ વ્યક્તિગત જીવન વિશે વિસ્તૃત રીતે જણાવ્યુ. શાહિદનું કહેવુ છે કે મદરસામાં અભ્યાસ દરમિયાન જ સિવિલ સર્વિસિઝમાં જવા માટે ખૂબ જ આતુર હતો. મદરસામાં અભ્યાસ કર્યા બાદ મૌલવી બનેલા શાહિદ રઝા ખાને પોતાના વિશે જણાવ્યુ કે 'મારી પ્રારંભિક શિક્ષણ એક નાના ગામના કસ્બામાં થયુ. ત્યારબાદ હું આગળના અભ્યાસ માટે આજમગઢના મુબારકપુર સ્થિત અલ જમાતુલ અશર્ફિયા જતો રહ્યો. હવે હું જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કરી રહ્યો છુ.' શાહિદ રઝાએ પોતાની આ સફળતા પાછળની આખી કહાની પણ જણાવી.
શાહિદ રઝા ખાને આગળ કહ્યુ, કોઈ પણ મદરસા, મસ્જિદ કે પછી ધર્મ રૂઢ ન હોવો જોઈએ. ધર્મ આપણને માનવતાની સેવા કરતા શીખવ છે, હું પણ એ જ કરીશ, લોકોને પણ માનવતા અને મનુષ્યતાના પાઠ ભણાવીશ. તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં 751મો રેંક મેળવનાર શાહિદે 2011માં જેએનયુમાં અરબી ભાષાનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો. બીએ બાદ એમએ પણ અહીંથી કર્યુ. ત્યારબાદ સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાંથી એમ ફીલ થયા બાદ અત્યારે જેએનયુમાંથી પીએચડી પણ કરી રહ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
