'5 વાર નમાઝ પઢો, પછી મન ફાવે એમ કરો', બાબા રામદેવના વિવાદિત નિવેદનથી મચ્યો હોબાળો
યોગ ગુરુ બાબા રામદેવે રાજસ્થાનમાં ફરીથી એક વાર ઈસ્લામ પર વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે.
Baba Ramdev Statement: બાબા રામદેવે ફરીથી એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. ઈસ્લામ અને મુસલમાનો પર યોગ ગુરુ બાબા રામદેવે એવી નિવેદન આપી દીધુ જેનાથી ચારે તરફ હોબાળો મચી ગયો છે. બાબા રામદેવે આ નિવેદન રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મ સભા દરમિયાન કહ્યુ. આ સભામાં તેઓ બંને ધર્મોની ખામીઓ વિશે વાત કરી રહ્યા હતા. જો કે, તેમના નિવેદન પર બંને ધર્મના લોકોએ વાંધો દર્શાવ્યો છે.

'નમાઝ પઢ્યા પછી કંઈ પણ કરો, બધુ ચાલે'
બાબા રામદેવે કહ્યુ કે ઈસ્લામ ધર્મનો અર્થ છે માત્ર નમાઝ પઢવાનો, મુસલમાનો માટે માત્ર નમાઝ પઢવાનુ જરુરી છે અને નમાઝ પઢ્યા પછી કંઈ પણ કરો, બધુ ચાલે, ભલે હિંદુઓની છોકરીઓને ઉઠાવો, ભલે જેહાદના નામે આતંકી બનીને જે મનમાં આવે એ કરો. શું ઈસ્લામ આ શીખવે છે? આ લોકો વિચારે છે કે આમ કરવાથી તેમને સ્વર્ગ મળશે, તેથી તેઓ પગની ઘૂંટી ઉપર પાયજામા પહેરે છે, ટોપી પહેરે છે, મૂછો કાપી નાખે છે. તેઓ જે સ્વર્ગ વિશે વાત કરે છે, તેમને કહેવામાં આવે છે કે ત્યાં પહોંચ્યા પછી તેમને અપ્સરાઓ દારૂ પીરસશે, મને કહો કે આ બધુ ગાંડપણ છે કે નહિ.

'ચર્ચમાં જઈને મિણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે'
ઈસાઈ ધર્મ વિશે બાબા રામદેવે કહ્યુ કે દિવસમાં ચર્ચમાં જઈને મિણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. હિંદુ ધર્મમાં આવુ કંઈ નથી હોતુ. કેટલાક લોકો ચોક્કસપણે તેમના ગળામાં ક્રોસ પહેરી લે છે પરંતુ પછી તેઓ બધા કામ કરવા માટે આઝાદ થઈ જાય છે. કેટલાક આખા વિશ્વને ઇસ્લામમાં પરિવર્તિત કરવાની વાત કરે છે, જ્યારે કેટલાક કહે છે કે તેઓ સમગ્ર વિશ્વને ખ્રિસ્તી બનાવી દેશે. તેમણે આગળ કહ્યુ કે, 'હું કોઈ ધર્મની બુરાઈ નથી કરી રહ્યો, હું માત્ર એટલુ જ કહી રહ્યો છુ કે કેટલાક લોકો ધર્મના નામે ખોટી વાતોનો પ્રચાર કરે છે. આવા લોકોથી બચવાની જરૂર છે.
|
'હિન્દુ ધર્મમાં આવું કંઈ નથી'
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ કે હિન્દુ ધર્મમાં આવું કંઈ નથી, બ્રહ્મમુહૂર્તમાં જાગો, યોગ કરો, ભગવાનનુ ધ્યાન કરો, જીવોની સેવા કરો, આ સનાતન ધર્મ છે. ભગવાને માત્ર મનુષ્ય જાતિ બનાવી છે. બાકી જાતિઓ તો આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવ્યો છે. માટે પોતાના ધર્મ પ્રત્યે જાગૃત રહે અને ધર્મ ગુરુઓના આહ્વાન પર હંમેશા તત્પર રહો. ધર્મગુરુ જ્યાં કહે તો ઉભા થઈ જાવ. બાબા રામદેવનુ આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. કેટલાક લોકો બાબાના સમર્થનમાં આવ્યા હતા તો કેટલાક લોકોએ બાબા રામદેવના નિવેદનની ટીકા કરી હતી. નોંધનીય છે કે બાબા રામદેવ બાડમેરમાં આયોજિત સંત ધર્મપુરી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
