'મુસ્લિમોને તેમના નસીબ પર છોડી દેવા જોઈએ...', આખરે આવુ કેમ બોલ્યા પીએમ મોદી?
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક તરીકે ન જોવો જોઈએ અને કોઈ વ્યક્તિએ મુસ્લિમ સમુદાયના ઠેકેદાર ન બનવું જોઈએ. તમામ પક્ષોને આડે હાથ લેતા પીએમે કહ્યું કે આખરે આ પક્ષોએ કેટલા મુસ્લિમ નેતાઓ પેદા કર્યા છે?
પીએમએ કહ્યું કે હિંદુ નેતાઓ મુસ્લિમ સમાજના ઠેકેદાર બની ગયા છે. આ લોકોએ તેમને નિયંત્રણમાં લીધા છે. મને લાગે છે કે મુસ્લિમ સમાજે આ અંગે આત્મમંથન કરવું જોઈએ. મને મુસ્લિમ સમુદાયને જોઈને દયા આવે છે કે આ લોકો તેમને માત્ર વોટ બેંક તરીકે જુએ છે.

મને એ વાતનુ આશ્ચર્ય થયું કે પંડિત નેહરુએ સમાજને અલગ-અલગ કરીને સંબોધિત કર્યા. મેં ગુજરાતમાં 5 કરોડ ગુજરાતી ભાઈઓ અને બહેનો શબ્દનો ઉપયોગ કર્યો છે. દેશના વડાપ્રધાન બન્યા પછી હું 140 કરોડ ભારતીયોની વાત કરું છું.
વડાપ્રધાને કહ્યું કે હું માનું છું કે હંમેશા એકતાની લાગણી હોવી જોઈએ. આ જ કારણ છે કે મે ગુજરાતમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનુ નિર્માણ કરાવ્યુ. અમે એકતા મોલ વિશે વાત કરી અને દરેક રાજ્યને તેનું નિર્માણ કરાવવા કહ્યું. તેની ખાસિયત એ છે કે લખનૌમાં મળતી વસ્તુઓ કેરળના એકતા મોલમાં પણ મળી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે હું મુસ્લિમ સમાજ વચ્ચે રહીને ભણ્યો છું. મારા ઘરની આસપાસ પસમાંડા સમુદાયના લોકો રહે છે. મારો જન્મ પણ આ લોકોની વચ્ચે થયો છે, આ લોકોના હાથમાં હુનર હોય છે. જો આને મજબૂત કરવામાં આવશે તો તે દેશનુ ભલુ થશે. પરંતુ કેટલાક લોકો તેમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી જાય છે.
વોટ જેહાદ અંગે વડાપ્રધાને કહ્યું કે જ્યારે મદરેસાના મૌલવી આવું કહે છે તો આપણે માનીએ છીએ કે તેને અભ્યાસ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ જ્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ આવું કહે છે ત્યારે તે ચિંતાનો વિષય છે. જો નાના-મોટા પરિવારના કોઈ સભ્યએ આ વાત કહી હોત તો કોઈ સમસ્યા ન હતી, પરંતુ આટલા મોટા પરિવારના સભ્યએ આ વાત કહી છે, જે બેશક ચિંતાનો વિષય છે.
એટલું જ નહીં, પીએમએ કહ્યું કે હિન્દુ નેતાઓએ મુસ્લિમ સમાજને કબજે કરી લીધો છે. જો આપણે મુસ્લિમ સમુદાયને તેના ભાગ્ય પર છોડી દઈએ તો તે ઘણું સારું કરશે. પરંતુ કેટલાક લોકો મુસ્લિમ સમાજના ઠેકેદાર બની રહે છે. દેશમાં આમ તો અનેક રાજકીય પક્ષો છે પણ આ પક્ષોએ કેટલા મુસ્લિમ નેતાઓ પેદા કર્યા છે? હિંદુ નેતાઓ મુસ્લિમ સમાજના ઠેકેદાર રહે છે. મુસ્લિમ સમાજના લોકોએ આ અંગે વિચારવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે મુસ્લિમ સમાજ મોદીને પસંદ નથી કરતો. જો બધા મને પસંદ કરવા લાગે તો આ લોકશાહી કેવી રીતે હશે? જે દિવસે મુસ્લિમ સમુદાયને લાગશે કે તેમનું ભવિષ્ય મારી સાથે છે, તે દિવસ સારો રહેશે. મુસ્લિમ સમાજે સમજવાની જરૂર છે કે દેશનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે. જો તેઓ એવું વિચારતા હોય કે દેશ ડૂબી જશે અને તમે બચી જશો તો તે તદ્દન ખોટી વિચારસરણી છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત







Click it and Unblock the Notifications
