મુઝફ્ફરનગર રમખાણો : કોર્ટે 6 નેતાઓ સામે વૉરન્ટ કાઢ્યા
લખનૌ, 18 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન થયેલી હિંસાના કેસમાં એક સ્થાનિક અદાલતે કુલ 16 લોકો સામે વૉરન્ટ જાહેર કર્યા છે. આ 16 લોકો પૈકી હિંસા ભડકાવવાના આરોપમાં ઉત્તર પ્રદેશના 6 નેતાઓ સામે વૉરન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે નેતાઓ સામે વૉરન્ટ જાહેર કરાયા છે તેમાં ભાજપ અને બસપાના નેતાઓનો સમાવેશ થાય છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે બસપાના સાંસદ કાદિર રાણા, ભાજપના ધારાસભ્યો સંગીત સોમ અને ભારતેંદુ સિંગ, બસપાના ધારાસભ્યો નૂર સલીમ, મૌલાના જમીલ, કોંગ્રેસના નેતા સઇદુજ્જમાં અને ભારતીય કિસાન યુનીયનના પ્રમુખ નરેશ ટીકેટ સહિત 16 રાજકીય અને સામાજિક નેતાઓ વિરુદ્ધ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ મુદ્દે વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારે જણાવ્યું કે આ તમામ સામે બે દિવસની અંદર કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે આ લોકો આજ્ઞાના ઉલ્લંઘન અને જિલ્લામાં વિવિધ બેઠકો (મહાપંચાયતો)માં ભડકાઉ ભાષણો આપીને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના કેસમાં વૉન્ટેડ છે. આ તમામ લોકો પર ભડકાઉ ભાષણ આપીને હિંસા માટે લોકોને ભડકાવવાનો આરોપ છે. આ હિંસામાં 47 લોકોના મોત થયા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
