મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ બ્રજેશ ઠાકુરે 11 છોકરીઓની હત્યા કરી, હાડકાંની પોટલી મળી આવી
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ બ્રજેશ ઠાકુરે 11 છોકરીઓની હત્યા કરી, હાડકાંની પોટલી મળી આવી
નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં કંપકપાવી મુકે તેવો ખુલાસો થયો છે. આ મામલાની તપાસ કરી રહેલ સીબીઆઈએ આશંકા જતાવી છે કે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેની સહયોગીઓએ 11 છોકરીઓની કથિત હત્યા કરી હતી. સીબીઆઈએ કહ્યું કે તેમને એક મસાણ પાસેથી હાડકાંઓની પોટલી મળી આવી છે. આ મામલામાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કર્યું છે.

બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રૂપે હત્યા કરી
સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં સીબીઆઈએ કહ્યું કે તપાસ દરમિયાન નોંધાયેલ પીડિતોના નિવેદનોમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેની બ્રજેશ ઠાકુર અને તેના સહયોગિઓએ કથિત રૂપે હત્યા કરી દીધી હતી. સીબીઆઈએ કહ્યું કે આરોપીઓમાંથી એકે જણાવેલ સ્થાન પર સ્મશાન ઘાટ પાસે ખાડો ખોદ્યો હતો જ્યાંથી હાડકાંઓનું એક બંડલ જપ્ત કરવામાં આવ્યું હતું.

મસાણ પર ખોદકામ કરતાં હાડકાંની પોટલી મળી
સીબીઆઈને આ મામલાની તપાસ સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી અને એજેન્સીએ ઠાકુર સહિત 21 લોકોને આરોપી બનાવતા ચાર્જશીટ દાખલ કરી હતી. શેલ્ટર હોમ કેસને લઈ ભારે હંગામો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે બિહાર સરકારની તગડી ફટકાર લગાવી હતી.

આરોપી ગુડ્ડૂ પટેલે જણાવ્યું ક્યાં છૂપ્યાં હાડકાં
સીબીઆઈએ તપાસમાં કહ્યું કે એક આરોપી ગુડ્ડૂ પટેલની પૂછપરછ દરમિયાન સામે આવેલ તથ્યોના આધાર પર મસાણમાં એક વિશેષ સ્થાન પર ગુડ્ડૂ પટેલે જણાવેલ જગ્યાએ ખદકામ કરવામાં આવી હતી અને ત્યાંથી હાડકાંની એક પોટલી મળી આવી હતી. આ મામલામાં સીજેઆઈ રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તાની પીઠે શુક્રવારે સુનાવણી કરી. બેંચે કહ્યું કે તે આવેદન પર સીબીઆઈને ઔપચારિક નોટિસ જાહેર કરશે અને એજન્સી 4 સપ્તાહમાં તેનો જવાબ દાખલ કરશે. દલીલો બાદ બેંચે આ મામલાની આગલી સુનાવણી માટે 6 મે નક્કી કરી.

બિહાર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
બિહારના મુઝફ્ફરપુરમાં એક આશ્રય ગૃહમાં 34 છોકરીઓ સાથે કથિત બળાત્કાર અને યૌન શોષણના મામલા સામે આવ્યા હતા. જેનો ખુલાસો ટાટા ઈન્સ્ટૂટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સની એક રિપોર્ટ બાદ થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ બિહાર સરકારના વકીલને પૂછ્યું હતું કે અમે જાણવા માંગીએ છએ કે તમે આખરે કેવી રીતે સરકાર ચલાવી રહ્યા છો, આ કોઈ રીત છે? સીજેઆઈ રંજન ગોગોઈએ આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે આ મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર આ સમયે જેલમાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
