32 લાખનો વીમો "હાથી" માટે, કારણ જાણો અહીં?
અત્યાર સુધી તમે વાહન વીમો, જીવન વીમો વિષે સાંભળ્યું હશે પણ શું તમે કદી હાથીઓ માટેના વીમા વિષે સાંભળ્યું છે. જો કે આ હાથીઓ કોઇ સામાન્ય હાથીઓ નથી. આ છે મૈસૂર દશેરાના હાથીઓ. જે દર વર્ષે મૈસૂરની શાન ગણાતા દશેરા ઉત્સવ "વિજયાદશમી"માં હાજરી આપવા અહીં આવે છે. આ વર્ષે પણ હાથીઓનો પહેલા દસ્તો મૈસૂર પહોંચી ગયો છે.
કેમ નીકાળાય છે વીમો?
"ધ હિન્દુ" છાપામાં છપાયેલી ખબર મુજબ વનવિભાગ દ્વારા આ હાથીનો વીમો નીકાળવામાં આવે છે. જેની પાછળનો મૂળ ઉદ્દેશ તે છે જ્યારે આ હાથીઓ મૈસૂર પહોંચે છે તે દરમિયાન તેમને કોઇ ઇજા ના થાય અને સાથે જ તેમના દ્વારા કોઇ સાર્વજનિક કે ખાનગી ઇમારતને નુક્શાન ન થાય. કારણ કે આવી લાંબી યાત્રામાં આવી પ્રકારની ધટનાઓ થવાની શક્યતા રહેલી હોય છે. માટે જ આ વીમા કરાવવામાં આવે છે. એટલું જ નહીં દશેરા ઉત્સવ કમિટી દ્વારા પ્રતિ હાથી રૂપિયા 41,000નું પ્રિમિયમ પણ આ હાથીઓ માટે ભરવામાં આવ્યું છે તેવું જાણવા મળ્યું છે.
હાલ 6 હાથીઓની પધરામણી
હાલ મુખ્ય હાથી અર્જૂન, જે દશેરા ઉત્સવ દરમિયાન 750 કિલોની સોનાની પાલખી ઉપાડશે તેની સાથે 6 હાથીઓ મૈસૂર પહોંચ્યા છે. અને આવતા મહિને અન્ય 6 હાથીઓ એમ કુલ 12 હાથીઓ વિજયદશમીના મૈસૂરના આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહેશે.