Nagaland:"બીજપી હાઇકમાન્ડના સંપર્કમાં, આજે થશે ધારાસભ્ય દળની બેઠક,' જીત પર બોલ્યા સીએમના સલાહકાર
નાગાલેન્ડમાં એનડીએ ગંઠબંધને સંપૂર્ણ બહૂમતિનો આંકડો મેળવી લીધો છે. શુક્રવારે એનડીટીપી ધારાસભ્ય દળની બેઠક મળશે
નાલાલેન્ડમાંએક વાર ફરી નેફિયુ રિયોએ ઇતિહાસ રચી દિધો છે. તેમના નેતૃત્વમાં એનડીપીપી અને ભાજપ ગઠબંધને પૂર્ણ બહુમતિ મળી છે. ત્યાર બાદ બંને પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસર પર નાગાલેન્ડના મુખ્યમંત્રીના સલાહકાર અુસાર એનડીપીપી નેતા અબુ પેહતાએ કહ્યુ કે, અમે એનડીપીપીમાં અમાવો વિશ્વાસ દેખાડવા અને પાર્ટીને ફરી સત્તામાં લાવવા માટે નાગાલેન્ડના મતદાતાઓનો આભાર માનીએ છીએ. પાર્ટીએ જે 40 બેઠક પર ચૂંટણી લડી હતી. તેમાથી 25 સીટો પર જીત મેળવી છે. આ 62.5 ટકાનો સફળતા દર છે. જ્યારે બીજેપીને 12 સીટ પર જીત મળી છે.

મેહતાએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, બીજેપી સાથે આગાળની સરકાર બનાવવા મટે એનડીપીપી દિલ્હીમાં પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે. એનડીપીપી ધારાભ્ય દળની બેઠક શુક્રવારે થશે. નવી સરકારનો એજેન્ડા વિકા અને શાંત અને રાજનિતક સમસ્યાનું તુરંત સમાધાન હશે.
તમને જણાવી દઇએ કે, નાગાલેન્ડમાં વિધાનસભાની 60 બેઠકો છે. જેમાથી ભારજ-એનડીપીપી ગઢબંધને 37 બેઠકો પર જીત મળી છે. આ નંબર બહુમતિ કરતા પણ વધારે છે. તો બીજી તરફ સીએમ નેફિયુ રિયોએ કોહિમા જિલ્લાની ઉત્તરમાં અંગામી બીજી સીટ પર થી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કોગ્રેસ ઉમેદવાર સેઇવિલી સાચુને હરાવી દિધો છે. એવામાં તેમનુ મખ્યમંત્રી બનવાનુ નક્કી છે. ધારાસભ્ય દળની બેઠકમાં નામ ફાઇનલ થયા બાદ તે પાંચમી વખત મુખ્યમંત્ર પદની શપથ લેશે.
તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત માટે જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, હુ નાગાલેન્ડના લોકોના આશિર્વાદ આપવા માટે ધન્યવાદ આપુ છુ. એનપીપી અને નાગાલેન્ડ ભાજપી ગઢબંધને રાજ્યની સેવા માટે એક વધારે જનાદેશ મળ્યો છે. ડબલ એન્જીનની સરકાર પ્દેશની પ્રગતિ માટે કામ કરે છે. હુ અમારી પાર્ટી કાર્યકર્તાઓની મહેનત માટે તેમની સરહાના કરુ છુ. જેમણે આ પરિણાન સુનિશ્ચિત કર્યુ છે.












Click it and Unblock the Notifications
