નારદા કેસ: વિશેષ સીબીઆઇ કોર્ટે ટીએમસીના ચારેય નેતાઓને આપ્યા જામિન
સીબીઆઈની વિશેષ અદાલતે નરદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના બે પ્રધાનો સહિત સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓને સોમવારે જામીન આપી દીધા છે. સીબીઆઈ કોર્ટે મમતા બેનર્જીની બે મંત્રીઓ સહિત ચાર નેતાઓની કસ્ટડી માટ
સીબીઆઈની વિશેષ અદાલતે નરદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના બે પ્રધાનો સહિત સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓને સોમવારે જામીન આપી દીધા છે. સીબીઆઈ કોર્ટે મમતા બેનર્જીની બે મંત્રીઓ સહિત ચાર નેતાઓની કસ્ટડી માટેની અરજીને નકારી કાઢી છે અને જામીન આપવાનો આદેશ આપ્યો છે. 50 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
આજે સીબીઆઈએ સુબ્રત મુખર્જી, ફિરહદ હકીમ, મદન મિત્રા અને કોલકાતાના ભૂતપૂર્વ મેયર શોભન ચેટરજીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આ નેતાઓને વિશેષ સીબીઆઈ કોર્ટના જજ અનુપમ મુખોપાધ્યાયની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દોઢ કલાક સુધી ચાલેલી સુનાવણીમાં સીબીઆઈ કોર્ટે મમતા બેનર્જીની બે મંત્રીઓ સહિત ચાર નેતાઓની કસ્ટડીની અરજી નામંજૂર કરી અને જામીન આપવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાતમાં વાવાઝોડુ 'તૌકતે' ટકરાયુ, બે કલાકમાં લેન્ડફૉલની પ્રક્રિયા થશે, 4 જિલ્લામાં ભારે વરસાદ પડશે
આ દરમિયાન સીબીઆઈ દ્વારા 48 પાનાની ચાર્જશીટ ઓનલાઇન ફાઇલ કરવામાં આવી હતી. આ નેતાઓ ઉપરાંત સસ્પેન્ડ કરેલા આઈપીએસ અધિકારી એસએચએમ મિર્ઝાનું નામ પણ ચાર્જશીટમાં શામેલ છે. સીબીઆઈ વકીલોએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નેતાઓ પ્રભાવશાળી છે, જો તેઓને મુક્ત કરવામાં આવે તો તપાસને અસર થઈ શકે છે. નેતાઓના વકીલોએ ધરપકડનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, જો હાલના કોવિડ પરિસ્થિતિમાં આ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, તો કોલકાતાની પરિસ્થિતિ વધુ વણસી શકે છે.